________________
પૂર્વભૂમિકા છે, આત્મજ્ઞાનની (self-Knowledge), પોતાના આત્માનું જ્ઞાન મેળવી લેવાની, પોતાની જાતને ઓળખી લેવાની. આત્મપરિચય એ પરમાત્મદર્શનની અનિવાર્યશરત છે. તેણે એ પણ બરાબર સમજી લેવું જોઈએ કે પોતાનો આત્મા જે શરીરમાં, લશ્કરની વચ્ચે અડગ અને અવિચળ ઊભેલા રાજાની જેમ, સ્થિર અને સ્વસ્થ રહેલો છે, તે શરીર, બીજું કશું જ નહીં પણ પંચમહાભૂતોનો સમુદાયમાત્ર,અથવા પંચકોશોનો સમૂહ-માત્ર, અથવા સ્થૂળ-સૂક્ષ્મ કારણ એવાં ત્રણ પ્રકારનાં શરીરોનો “સંઘ' માત્ર છે.
આ પછીનું તેના માટેનું કર્તવ્ય છે, પરમાત્મ-સ્વરૂપ પોતાના આત્મા સાથે, પોતાની જાત સાથે, તન્મય-તદ્દરૂપ બનીને, તેમાં જ સદા-સર્વદા સ્થિત રહેવાનું. પરંતુ સાધક આવું બધું કરે છે તો મિથ્યા એવા આ જગતમાં, માત્ર-દશ્ય એવા આ પ્રપંચમાં રહીને, અને જ્યાં સુધી આ મિથ્યા જગતનું અસ્તિત્વ રહે, ત્યાં સુધી સાધક માટે બ્રહ્મસાક્ષાત્કાર તો અશક્ય જ !
તો પછી, તેણે શું કરવું ? બ્રહ્મદર્શન કેવી રીતે કરવું ? બ્રહ્મદર્શન માટે આચાર્યશ્રીએ સૂચવેલી યુક્તિ જેટલી આધ્યાત્મિક છે, તેટલી જ સુનિશ્ચિત ધ્યેય-સાધક છે. અંતે તો, આ જગત એ બ્રહ્મનું જ કાર્ય, બ્રહ્મનું જ સ્વરૂપ છે ને ! તો પછી, બ્રહ્મસ્વરૂપ એવાં આ જગતનો, તેનાં મૂળ કારણરૂપ બ્રહ્મમાં જ વિલય કરી દે ! . જગતનો લય, જગત-કારણ એવાં બ્રહ્મમાં થઈ જાય પછી તો, જગત રહેતું જ નથી. એટલે ભક્ત નરસૈયો પોતાની રમતિયાળ શૈલીમાં આવા લીલા-લયને તાદશ રીતે નિરૂપે છે તેમ, –
“બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે !” શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૬૬)
- ૨૬૭ बुद्धौ गुहायां सदसद्विलक्षणं
ब्रह्मास्ति सत्यं परमद्वितीयम् । तदात्मना योऽत्र वसेद गुहायां
પુનર્ન તથા પ્રવેશ: / ર૬૭ | શ્લોકનો ગુજરાતી પાઠ :
બુદ્ધી ગુહામાં સદસવિલક્ષણે
બ્રહ્માસ્તિ સત્ય પરમદ્વિતીયમ્ તદાત્મના થોડત્ર વસેદ્ ગુહામાં
પુનર્ન તસ્યાંગગુહાપ્રવેશઃ | ૨૬૭ | શ્લોકનો ગદ્ય અન્વય : યુદી જુહીયાં સ-મ-વિન્નક્ષM પર ક્રિતીર્થ
વિવેકચૂડામણિ | ૪૯૫