________________
આચાર્યશ્રીનો આ અનુરોધ જેટલો સમયસરનો છે, તેટલો જ શાસ્રસિદ્ધ છે. શ્લોકનો છંદ : રથોદ્ધતા (૨૬૫) ૨૬૬
स्वं बोधमात्रं परिशुद्धतत्त्वं विज्ञाय संघे नृपवच्च सैन्ये । तदात्मनैवात्मनि सर्वदा स्थितो
विलापय ब्रह्मणि दृश्यजातम् ॥ २६६ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ : સ્વ બોધમાત્ર પરિશુદ્ધતત્ત્વ વિશાય સંઘે નૃપવચ્ચે સૈન્યે ।
તદાત્મનૈવાત્મનિ સર્વદા સ્થિતો
વિલાપય બ્રહ્મણિ દેશ્યજાતમ્ ॥ ૨૬૬ ॥
શ્લોકનો ગદ્ય અન્વય : સૈન્યે નૃપવત્, સંઘે નોધમાત્ર પરિશુદ્ધતત્ત્વ સ્વ विज्ञाय तद्-आत्मना एव आत्मनि सर्वदा स्थितः (सन्), ब्रह्मणि दश्यजातं વિજ્ઞાપય ॥ ૨૬૬ ॥
શબ્દાર્થ : મુખ્ય વાક્ય : બ્રહ્મળિ દૃશ્યાત વિજ્ઞાપય । વિજ્ઞાપય એટલે લય કરી દે, વિલય કરી દે (વિતમ્ એ ધાતુનાં પ્રેરકનું આજ્ઞાર્થ બીજો. પુરુષ એકવચનનું રૂપ - વિજ્ઞાપય ). શાનો વિલય કરવાનો છે ? દૃશ્યનાતમ્ । દૃશ્ય એટલે દેખાતું, નજર પડતું. નાતમ્ એટલે સમૂહ, સમુદાય, દૃશ્યનાતમ્ । દૃશ્ય એટલે આંખની સામે રહેલું આ સમગ્ર જગત, અખિલ બ્રહ્માંડ, દૃશ્ય-પ્રપંચ. આનો ક્યાં વિલય કરવાનો છે ? બ્રહ્મણિ । બ્રહ્મમાં. સાધકે આ વિલય-પ્રક્રિયા કેવી રીતે કરવાની છે? આત્મના વ આત્મનિ સર્વવા સ્થિતઃ (સન્)`। પોતાનામાં જ તન્મય બનીને અને તેમાં જ સદા સ્થિત રહીને, સાધકે બીજું શું કરવાનું છે ? વિજ્ઞાય । આત્માનું જ્ઞાન મેળવીને, પોતે પોતાને ઓળખીને. પોતાનો તે આત્મા કેવો છે ? વોધમારૂં પરિશુદ્ધતત્ત્વમ્ । જ્ઞાનમાત્ર-સ્વરૂપ, સ્વયંપ્રકાશરૂપ અને વિશુદ્ધ પરમાત્મતત્ત્વરૂપ. પોતાનો આ આત્મા ક્યાં રહેલો છે ? સંઘે । સંઘમાં, ‘સંઘ’ એટલે પૃથ્વી-પાણી-તેજ-વાયુ-આકાશ એ પાંચ મહાભૂતોનાં સમૂહરૂપ શરીર. પોતાનો આત્મા, પોતે, શરીરમાં કોની જેમ રહેલો છે ? સૈન્યે નૃપવત્ । સેનાની વચ્ચે રહેલા રાજાની જેમ. (૨૬૬)
અનુવાદ : લશ્કરની વચ્ચે રહેલા રાજાની જેમ, પંચ-મહાભૂતોના સમૂહરૂપ (એવાં) શરીરમાં, સ્વયંપ્રકાશરૂપે અને પરિશુદ્ધ-પરમાત્મારૂપે રહેલા પોતાના આત્માને (પોતાની જાતને) ઓળખીને, પોતાનામાં જ તન્મય બનીને અને સદા આત્મામાં જ સ્થિત રહીને, બ્રહ્મમાં સમગ્ર દશ્ય જગતનો વિલય કરી દે. (૨૬૬) ટિપ્પણ : આત્મસાક્ષાત્કાર કે બ્રહ્મદર્શન કરે તે પહેલાં, સાધક માટેની ૪૯૪ | વિવેકચૂડામણિ