________________
(strict Order) છે, માત્ર ઉપદેશ નથી. આથી (ત:) આ આદેશ પ્રમાણે. સાધકે શું કરવાનું રહે છે? (ઉપાધ-દયો ) નિરાલ: કરણી: વ . આ બંને, માયા અને પંચકોશરૂપી ઉપાધિઓનો ત્યાગ (નિરાલ:) કરવો જ જોઈએ, એનું નિવારણ-નિરસન ફરજિયાત બની રહે છે. પરંતુ નિરાસ કેવી રીતે કરવો ? શ્રુતિ-પ્રમાણ-મનુગૃહીત-યુવા શ્રુતિ-પ્રમાણને અનુકૂળ, એ પ્રમાણ સાથે સુસંગત એવી યુક્તિ વડે. આ પહેલાં ન્યાય-દર્શન-પ્રબોધિત ચાર પ્રમાણોની સમજૂતી આપવામાં આવી છે, તેમાંનું શબ્દ પ્રમાણ, એ જ આ કૃતિ પ્રમાણ. (૨૪૭)
અનુવાદ : “આથી પછી આ આદેશ', એ (બૃહદારણ્યક ઉપનિષદનું) કૃતિવચન પોતે બ્રહ્મમાં કલ્પવામાં આવેલાં (ત) દૈતનો નિષેધ કરે છે. (આથી) શ્રુતિ-પ્રમાણને અનુકૂળ એવી યુક્તિ વડે, (સાધકે) તે બંને(માયા અને પંચકોશ-રૂપી ઉપાધિઓ)નો નિષેધ કરવો જ જોઈએ. (૨૪૭)
- ટિપ્પણ: આ પહેલાં, શ્લોક(૨૪૬)માં, માયા અને પંચકોશ, - એ બે ઉપાધિઓનાં સારી રીતે હટી જવાનાં (તયો: સવે નિર) મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. બ્રહ્મમાં કલ્પિત આ બે જ ઉપાધિઓ નહીં, પરંતુ સર્વ વસ્તુઓના નિષેધનો આ રીતે આદેશ આપવામાં આવ્યો છે : અથ અત: વેશ: 7 તિ, ન તિ, ન હિ તિમા રૂતિ . (બૃહદારણ્યક ઉપનિષદ, ૨,૩,૪). અd. એટલે આથી-તેથી, આ કારણે, માટે, અને અથ એટલે પછી. પણ “શાના પછી ?' પૂલ-સૂક્ષ્મ-પ્રપંચ-રૂપ સત્યનાં કથન પછી, જે “સત્યનું સત્ય,” એટલે કે સર્વોત્તમ સત્ય છે, તે એક જ અવશેષ રહે છે. આ “સર્વોત્તમ સત્ય શું છે ? ક્યું છે? કેવું છે? - આ પ્રમાણે : “આથી, તે બ્રહ્મનું આવું નહીં (ન-તિ), “આવું નહીં' (ન-તિ), એ કથન. બ્રહ્મનું આનાથી અન્ય શ્રેષ્ઠ કથન છે જ નહીં (દિ ણતા રૂતિ !). તેથી, આ શ્રુતિવચન સિવાય, સર્વનો નિષેધ કરનારું, બ્રહ્મ અંગેનું બીજું કથન નથી. અને આ જ “સર્વોત્તમ સત્ય'.
આમ, આ શ્લોકમાં જેનો સંદર્ભ ટાંકવામાં આવ્યો છે તે મૂળ ઉપર્યુક્ત શ્રુતિવચન તો, માત્ર આ બે ઉપાધિઓ(માયા અને પંચકોશ)નો જ નિષેધ કરવાનો નહીં, પરંતુ બ્રહ્મમાં કલ્પિત સર્વ વસ્તુઓનો નિષધ કરવાનો “આદેશ આપે છે. અને શ્રુતિ-પરંપરા પ્રમાણે, આવાં ઉચ્ચ આધ્યાત્મિક સંદર્ભમાં, શબ્દ અથવા શ્રુતિ એ એક સિવાય અન્ય કોઈ પ્રમાણનો કશો અધિકાર નથી, એટલે શ્રુતિના આ શબ્દ પ્રમાણ વડે, ગ્રહણ કરવામાં આવેલા આત્મબોધ વડે, ઉપર્યુક્ત બંને ઉપાધિઓનો ત્યાગ સાધકે કરવો જ રહ્યો. નિરાલ: રીય પર્વ . આમ કરવાનું એકમાત્ર સારું પરિણામ એ જ આવે કે નિરુપાધિક બ્રહ્મ અવશિષ્ટ રહે, અને એ જ સાચું, - સહુનું બ્રહ્મસ્વરૂપ છે.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૪૭)
૪૬૦ | વિવેકચૂડામણિ