________________
પ્રમાણે જગત મિથ્યા, અસત્ય છે. આમ છતાં પણ દરેક સમાજમાં કેટલાક નકારવાદીઓ (Negativists) અને અભદ્રદર્શીઓ (Cynics) હોય છે. એમને કશું સારું સ્વીકારવું ગમે જ નહીં. આવી કોઈક વ્યક્તિ હઠ પકડે અને દુરાગ્રહ જ સેવ્યા કરે કે “ના, તમારી વાત સાચી નથી, જગત તો સત્ય જ છે !” - તો ?
આવો અનુચિત વાદ સ્વીકારવામાં આવે તો, કેવું અને કેટલું દુષ્પરિણામ ઊભું થાય, એની ચર્ચા આ શ્લોકમાં કરવામાં આવી છે. આમ તો, ભાષ્યની શૈલીનું જ આ એક પાસું છે અને આચાર્યશ્રીએ પોતાનાં ભાષ્યોમાં, પૂર્વપક્ષની દલીલોનું ખંડન કરવા માટે, એનો પ્રભાવક રીતે પ્રયોગ કર્યો છે. આચાર્યશ્રી, એટલે કે સિદ્ધાંતપક્ષ, પેલા પૂર્વપક્ષને ચેતવણી આપતાં કહે કે “જો તમે આવી ખોટી દલીલ કરશો તો, - તિ વેત, - આપણી ચર્ચામાં આવી અસંગતિઓ ઊભી થશે !' આવા દોષ અથવા કે આવી અસંગતિ માટેનો પારિભાષિક શબ્દ છે, “પ્રસંગ', – એક અનિચ્છનીય પરિસ્થિતિ (Undesirable contingency).
ભૂમિતિશાસ્ત્ર(Geometry)માં પણ, કોઈક પ્રમેય(Theorm)ને સિદ્ધ કરવા માટે, અસત્ય શરતથી આરંભ કરવામાં આવે તો, અંતે, અસ્વીકાર્ય એવું પરિણામ જ ઊભું થાય છે, અને પછી પેલી અસત્ય શરતને રદ કરવાનો પ્રસંગ સર્જાય છે અને સ્વીકૃત તત્ત્વ(Data)ને સ્વીકારવાનું ફરજિયાત બની રહે છે - જો જગતને સત્ય માનવામાં આવે તો, આવા ત્રણ પ્રસંગો સર્જાવાનો ભય રહેશે : (૧) બ્રહ્મ - અનંત છે, એવી તૈત્તિરીય ઉપનિષદની બ્રહ્માનન્દવલ્લીને (સત્ય જ્ઞાન અનન્ત બ્રહ્મ ) આ પહેલાં ટાંકવામાં આવી જ છે.હવે જો જગત સત્ય હોય તો, આત્માના આ અનંતપણાનું શું ? જગતને સત્ય માનીએ, એટલે તેને “અનંત' પણ માનવું જ પડે, અને જગતને “અનંત' માનીએ તો આત્માનું “અનંતત્વ' ટકી જ ન શકે, અને આત્મા અનંત નથી, પણ “સાન્ત' છે, એવું સ્વીકારવાની ફરજ પડે, એના કરતાં વધારે ભયંકર બીજી આપત્તિ કઈ ? આ પહેલો પ્રસંગ'. (૨) અને આ પ્રસંગમાંથી જ બીજો પ્રસંગ એ ઊભો થાય કે આત્માના અનંતત્વ વિશેની પેલી તૈત્તિરીય કૃતિનું શું? શ્રુતિ એટલે વેદ, નિગમ, એ કદી અપ્રમાણભૂત હોઈ જ ન શકે, પણ આત્માને “અનંત'ને બદલે “સાન્ત” બનાવી દેવાય તો, નિગમની અપ્રમાણભૂતતાનો પ્રસંગ ઊભો થયા વિના રહે નહીં, અને (૩) જો જગત સત્ય હોય તો તે કદી નાશ પામે નહીં, તેનો ક્યારેય પણ અભાવ થાય નહીં, પરંતુ સહુ જાણે છે તેમ, જગતનો પ્રલય તો થાય જ છે. અને જો સત્ય એવા જગતનો આ રીતે અભાવ થતો હોય તો, જે પોતે ઈશ્વરના અવતાર છે, એવા ભગવાન શ્રીકૃષ્ણનાં ગીતામાંનાં આ વચનોનું શું? “સત્યનો અભાવ હોતો નથી !” ( અપાવો વિદ્યતે સતઃ | ૨,૬). આમ, સ્વયં ઈશ્વરને અસત્યવાદી ઠેરવવાનો અક્ષમ્ય અપરાધ ઊભો થાય !
આમ, જો પૂર્વપક્ષની મૂળ દલીલ કે “આ જગત સત્ય છે, તેને માન્ય ફર્મા – ૨૮
વિવેકચૂડામણિ | ૪૩૩