SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણ: આમ તો, શ્લોક સહેલો છે અને એમાંના બધા જ શબ્દો શબ્દાર્થવિભાગમાં સમજાવી દેવામાં આવ્યા છે, તે છતાં આ તુલના પાછળના મર્મને સમજીએ : મૂઢ માણસની બુદ્ધિ સ્થૂળ છે, મોહ પામી ગઈ છે, નોર્મલ નથી, તે અજ્ઞાની છે, મૂર્ખ છે, એટલે પાણીથી ભરેલા ઘડામાં સૂર્યનાં પ્રતિબિંબને જોઈને, તે પ્રતિબિંબ માત્રને, પ્રતિબિંબિત સૂર્યને જ, સૂર્ય સમજી બેસે છે. આકાશમાં રહેલો મૂળ સૂર્ય અને પાણીમાં પ્રતિબિંબિત સૂર્ય, એ બે વચ્ચેના તફાવતને સમજવાની બુદ્ધિ તેનામાં ન હોવાને કારણે, તે “પ્રતિબિંબને જ “બિંબ' માની લેવાની ભૂલ કરે છે, અણસમજ કરે છે. તેવી જ રીતે, અહીંના આધ્યાત્મિક સંદર્ભમાં જે પણ માણસ જડ છે, વિચારશક્તિ-વિનાનો, અજ્ઞાની છે, તેની બુદ્ધિનો જરૂરી વિકાસ થયો નથી, તેથી તે જુએ છે માત્ર દેહ, બુદ્ધિ વગેરે ઉપાધિમાં રહેલા ચિતનાં ચૈતન્યના આભાસને જ, મૂળ ચૈતન્યને નહીં, - અને છતાં, તે, ભ્રાન્તિને કારણે, એવું અભિમાન કરે છે કે “તે માત્ર ચિત-આભાસ હું છું.' | સરખામણીની બંને ઘટનાઓમાં પાયાની વાત છે, વિવેકબુદ્ધિના અભાવની. મૂળ સૂર્ય, એટલે કે “બિંબ' અને તેનું પ્રતિબિંબ', - બંને, એક બીજાથી સાવ જૂદાં છે, અને છતાં તે બે વચ્ચેના તફાવત(Difference)ને સમજવા-પારખવા જેટલી વિવેકબુદ્ધિ પેલા મૂઢ-માણસમાં હોતી, તેથી તેણે “પ્રતિબિંબને જ “બિંબ' માની લીધું, પ્રતિબિંબિત સૂર્યને જ મૂળ સૂર્ય માની લીધો ! એ જ રીતે, અહીં પ્રસ્તુત સંદર્ભમાં, “ચૈતન્ય' (વિ) છે તો ખરું, પરંતુ તે મૂળ-શુદ્ધ-નિર્વિકારી (Original) સ્વરૂપમાં નથી, દેહ-બુદ્ધિ-અંતઃકરણ-જીવ વગેરે અનેક ઉપાધિઓમાં રહેલું (સંથ) છે, પરંતુ શુદ્ધ-બુદ્ધ-નિત્ય-મુક્ત-નિરપાધિક-અકર્તાઅભોક્તા-અવિકારી એવું “મૂળ ચૈતન્ય' (વિત) અને અનેક ઉપાધિઓમાં ફસાઈ ગયેલું, ઘેરાયેલું, પ્રસ્ત, એવું ચૈતન્ય, એટલે કે એનો માત્ર મિથ્યા દેખાવ, એનો ફક્ત આભાસ, ચિદાભાસ', – એવી બે સંપૂર્ણરીતે ભિન્ન ઘટનાઓ વચ્ચેના ભેદને, – પાયાના ભેદને, – પારખવાની શક્તિ, વિવેકબુદ્ધિ, પેલા જડબુદ્ધિ માણસમાં ન હોવાથી, તે તેના ભ્રમનો ભોગ બને છે અને “આભાસમાં જ, પોતે હોવાનું અભિમાન કરે છે, બુદ્ધિ-પ્રતિબિંબિત મિથ્યા જીવને જ હું સત-ચિ-આનંદ છું.” એવાં અનર્થકારી અભિમાન'માં રાચે છે ! શ્રીગુરુજીએ શિષ્યને બે-ત્રણ વાર “આત્માને જાણ (વિદ્ધિો', એમ કહ્યું તો ખરું, પરંતુ જાણવાની એ પ્રક્રિયામાં એને આવી ભ્રાન્તિ ન નડે અને એની સંસ્કારપામેલી વિવેકબુદ્ધિ સ્વસ્થ અને સજાગ રહે, એ હેતુથી તેમણે આવું પ્રતીતજનક દષ્ટાંત આપ્યું. શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૦) ૪૧૦ | વિવેકચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy