________________
૨૨૦
घटोदके बिम्बितमर्कबिम्ब
- मालोक्य मूढो रविमेव मन्यते ।
तथा चिदाभासमुपाधिसंस्थं
भ्रान्त्याहमित्येव जडोऽभिमन्यते ॥ २२० ॥
શ્લોકનો ગુજરાતી પાઠ : ઘટોદકે બિમ્બિતમર્કબિમ્બ
-માલોક્ય મૂઢો રવિમેવ મન્યતે ।
તથા ચિદાભાસમુપાધિસંસ્થ
ભ્રાન્ત્યાહમિત્યેવ જડોડભિમન્યતે ॥ ૨૨૦ ॥
શ્લોકનો ગદ્ય અન્વય : થયેજે વિન્વિત અનિમ્ન આતોય (યથા) મૂઢ: रवि एव मन्यते, तथा जडः भ्रान्त्या उपाधिसंस्थं चिदाभासं 'अहं' इति एव અભિમન્યતે ॥ ૨૨૦ ||
એટલે
શબ્દાર્થ : શ્લોકમાં યથા-તથા (જેવી રીતે-તેવી રીતે) એવા શબ્દોના પ્રયોગ વડે, જૂદી જૂદી બે વ્યક્તિઓની ખોટી માન્યતાઓ(મન્યતે અને મિમન્યતે)ને, બે જૂદા જૂદા વિષયના સંદર્ભમાં, સરખામણી માટે, સામસામી મૂકી છે. આમ તો, બંને વ્યક્તિઓ છે તો મૂર્ખ જ (મૂ અને નઙ), પરંતુ પ્રસંગો જૂદા જૂદા છે. મૂ: રવિ વ મન્યતે। મૂઢ માણસ (તેને) સૂર્ય જ માની લે છે, સમજી લે છે. કોને ? શું જોઈને ? (બોય) પટ-ડ્વે નિશ્વિતં ગવિમ્ન । પાણી, અને અર્વ એટલે સૂર્ય. ઘડાનાં પાણીમાં પ્રતિબિંબિત થયેલા સૂર્યને, (તે તેને સૂર્ય જ માની બેસે છે). તેવી જ રીતે, નડ ‘અદ' ત્તિ વ્ મમતે । જડ બુદ્ધિવાળો માણસ, વિચાર-વગરનો, અક્કલ-વિનાનો માણસ, ‘હું’-તરીકેનું અભિમાન કરે છે, ‘તે હું છું,' - એવું અભિમાન કરે છે. શાના માટે ? વિદ્-ગામામં ચિત્તનાં, ચૈતન્યના આભાસમાત્ર માટે. કેવો છે તે નિલામાસ ? પાધિ-સંË, દેહ, બુદ્ધિ વગેરે જેવી ‘ઉપાધિ'માં રહેલો, તેમાં પ્રતિબિંબિત થયેલો. આવું કેમ બને છે ? પ્રાન્ત્યા ભ્રમ-ભ્રમણાને કારણે. (૨૨૦)
'
અનુવાદ : ઘડાનાં પાણીમાં પ્રતિબિંબિત થયેલા સૂર્યને (એટલે કે સૂર્યને નહીં, માત્ર પ્રતિબિંબને) જોઈને, બિંબિત સૂર્યને જ મૂઢ માણસ તે સૂર્ય માની લે છે. તેમ, વિચારવિનાનો જબુદ્ધિ માણસ, (દેહ-આદિ) ઉપાધિમાં રહેલા ચૈતન્યના આભાસમાત્રમાં (એટલે કે, ચૈતન્યમાં નહીં, પણ માત્ર તેના આભાસમાં, ખોટાં દેખાવમાં જ) ‘(તે) હું છું,' - એવું અભિમાન કરે છે (૨૨૦)
વિવેકચૂડામણિ / ૪૦૯