________________
ન હોવાની પરિસ્થિતિ. ‘સર્વના અભાવ સિવાય, અહીં, આ દેહમાં, જગમાં, બીજું કશું જ મને દેખાતું નથી.' આવું તેને કેમ લાગ્યું ? તેવુ પંતુ જોશેષુ મિથ્યાત્વેન નિષિદ્વેષુ (સતિ) । અહીં સતિ-સપ્તમી વાક્યરચના છે. આ પાંચેય કોશોને, મિથ્યાપણાં વડે, એટલે કે તે બધા ‘મિથ્યા' છે, એમ સિદ્ધ કરાતાં, તે સર્વનો આપે નિષેધ કર્યો ત્યારે, તે કારણે અહીં સર્વનો, આ રીતે; અભાવ જ હોય તો, ત્યારે ( एवं सति ), अत्र किम् - उ वस्तु अस्ति, यद् आत्मविपश्चिता स्व-आत्मना विज्ञेयं (મતિ) ? આત્મવિપશ્ચિત્ એટલે આત્માના સંબંધમાં, આત્મા વિશે, સતત ચિંતનમનન કરીને બનેલો વિદ્વાન. પરિસ્થિતિ જ્યારે આ પ્રકારની છે ત્યારે, શિષ્ય ગુરુજીને પૂછે છે, ‘અહીં એવી કઈ વસ્તુ છે, જેને આત્મવિપશ્ચિત એવા વિદ્વાને જાણવી જોઈએ ? એના માટે જાણવાની રહે છે ?’ (૨૧૪)
અનુવાદ : શિષ્ય બોલ્યો : ‘હે ગુરો ! મિથ્યા હોવાથી આ પાંચેય કોશોનો આપના વડે નિષેધ થવાથી, અહીં (આ દેહમાં તથા જગતમાં) સર્વના અભાવ સિવાય મને બીજું કશું જ દેખાતું નથી. (પરિસ્થિતિ આવી હોવાથી) એવી કઈ વસ્તુ છે, જેને આત્મવિપશ્ચિત એવા વિદ્વાને જાણવી જોઈએ ?' (૨૧૪)
ટિપ્પણ : પાંચેય કોશોનાં સ્વરૂપનું સવિસ્તર નિરૂપણ કર્યા પછી, અંતે, ગુરુજીએ, એ પાંચેયનો નિષેધ કર્યો હતો (શ્લોક-૨૧૨). એ પાંચે અનિત્ય હોવાથી, એમાંનો કોઈ એક પણ પરમાત્મા હોવાની પાત્રતા ધરાવતો નથી, એવું પ્રતિપાદન ગુરુજીએ કર્યુ હતું.
આમ તો, કોશનો મૂળ અર્થ જ ‘મ્યાન’ થાય છે અને મ્યાન જેમ તલવાર માટેનું ઢાંકણ કે આવરણ છે, તેમ આ પાંચેય કોશો પણ આત્માને ‘આવૃત’ કરતા, ઢાંકી દેતા હોવાથી, એનો તો નિષેધ કર્યે જ છૂટકો. આત્માનાં દર્શન માટે અવરોધરૂપ બનતા આવા કોશોનાં નિષેધ-નિવારણમાં જ મુમુક્ષુ-સાધકનું શ્રેય રહ્યું છે, એ તો જાણે શિષ્ય બરાબર સમજી ગયો. પરંતુ એની તકલીફ એ છે કે આવો નિષેધ થતાં, અહીં સર્વત્ર, દેહમાં અને બ્રહ્માંડમાં, સર્વનો અભાવ જ થઈ જાય છે, કશું રહેતું નથી, કશું દેખાતું નથી, સર્વત્ર જાણે ફક્ત શૂન્યાવકાશ, સૂનકાર (vacuum) ! શિષ્ય ગુરુજીને કરગરીને કહે છે કે હે ગુરો ! અહીં (અન્ન) આ દેહમાં કે દુનિયામાં, મને કશું જ દેખાતું નથી (અન્હેં િિવત્ અપિ ન પશ્યામિ ). હવે મારે શું કરવું ? મારે આત્મા સિવાયનું બીજું કશું જોવું-જાણવું નથી ! આત્માની બાબતમાં મેં ઘણુંબધું વિચાર્યું છે, એટલે હું આત્મવિપશ્ચિત છું, છતાં અહીં સમસ્ત બ્રહ્માંડમાં એવી કઈ વસ્તુ છે (મુિ વસ્તુ અસ્તિ ?) જેને, હવે મારે મારા પોતાના આત્મારૂપે જાણવી જોઈએ !' (સ્વ-ઞાત્મના વિજ્ઞેયમ્ ।)
શિષ્ય મોક્ષાર્થી સાધક હતો, એટલે સમજદાર હતો, પરંતુ જ્યાં સર્વનો અભાવ જ હોય' (સર્વાંમાવ વિના), ત્યાં તેય બિચારો શું કરે ? એટલે તે ગીતાના ૪૦૦ / વિવેચૂડામણિ