SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ सर्वेऽत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखमाप्नुयात् ॥ સુખ, સ્વાચ્ય, કલ્યાણ વગેરે “શુભ', માત્ર મને જ નહીં, સહુને મળો ! અને કોઈ પણ “જીવ' દુઃખી ન થાય ! કેવી ઉચા ભાવના ! “સ્વ”માં “સર્વ”નો સમાવેશ ન થાય તો જિંદગી એળે, - એવી ઉદાત્ત પારમાર્થિક ભાવના. અમને ગળથુથીમાં જ મળી ગઈ હતી, એને અમે અમારું પરમ સદ્ભાગ્ય સમજીએ છીએ. અને એટલે જ, “અમારો પરિવાર એ શબ્દમાં ભલે માનવસહજ “અસ્મર્ભાવ” અભિવ્યક્ત થઈ ગયો હોય, માતાપિતાના વારસામાંથી પ્રાપ્ત થયેલો અમારો અભિગમ તો સદા સર્વદા “વસુધૈવ કુટુંબકમ” જેવો ઉદાર અને વ્યાપક છે, એવું અમે વિનમ્રતાપૂર્વક નિવેદન કરીએ છીએ. આવા વિશાળ અભિગમના વારસદાર અમે બની શક્યાં એ, ખરેખર, ઈશ્વરકૃપાનું જ સુ-પરિણામ છે. પિતાજી પુરુષોત્તમદાસ હરકિશનદાસનો જન્મ, ઈ. સ. ૧૮૯૧માં, ચૈત્ર સુદ ૧૫(શ્રીહનુમાન-જયંતી)ના રોજ થયો હતો. આ પહેલાં જ, દાદાજી હરકિશનદાસ શ્રીજી-ચરણોમાં લીન થઈ ગયા હતા અને દાદીમા ગોદાવરી, એટલે કે પિતાજીનાં મા, તે વખતે, ૧૬-૧૭ વર્ષનાં જ હતાં. આમ તો, દાદાજી મૂળ ખંભાતના મોઢ વાણિયા. તેમણે ધંધાર્થે, ૧૯મી સદીની શરૂઆતમાં, એક “સારાં બંદર એવાં સૂરતમાં વસવાટ કર્યો. ત્યાંથી મુંબઈ આવ્યા. ખૂબ સારા અને સારા માણસ, એટલે એક-બે ઓરડીમાં જ રહે. તેમણે મુંબઈમાં. ભૂલેશ્વર કબૂતરખાના સામેના, આજે પણ મોજૂદ, એક મકાનમાં “મેસર્સ હરકિશનદાસ જગજીવનદાસ”-નામની પેઢી, અનાજની આડત અને ધંધા માટે, શરૂ કરી. પિતાજીનો બાલ્યકાળ, દાદીમાની સાથે, સૂરતમાં, વીત્યો. દાદાજીનાં પ્રથમ પત્નીથી તેમને બે પુત્રો હતા, - કરસનદાસ અને નવનીતલાલ. પ્રથમ પત્નીનાં મરણ બાદ દાદાજીએ ગોદાવરી-દાદીમા સાથે મોટી ઉંમરે લગ્ન કરેલાં, તેથી તેમનો દેહવિલય થયો ત્યારે, દાદીમા ૧૬-૧૭ વર્ષનાં જ હશે. પિતાજીના સાવકા ભાઈ કરસનદાસ સૂરતથી દાદીમાની સાથે બાલ્યવયના પિતાજીને મુંબઈ લઈ આવ્યા. મુંબઈમાં જ બાળક મટીને તેઓશ્રી કિશોર બન્યા. તેમણે પ્રાથમિક શિક્ષણ મુંબઈની કોઈક મ્યુનિસિપલ શાળામાં લીધું હશે. પછીનું માધ્યમિક શિક્ષણ, તે સમયની શ્રેષ્ઠ એવી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં લીધું હતું. તે જમાનામાં, તે સમયે, આ શાળામાં જર્મન શિક્ષકો હતા. શિસ્ત, ઉત્તમ શિક્ષણ, વિવેકચૂડામણિ | ૩૫
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy