________________
અનુવાદ : અસતનું એટલે કે અવિદ્યાનું નિવારણ થતાં જ, અંતરમાં રહેલા આ સસ્વરૂપ આત્માની અનુભૂતિ સ્પષ્ટ થાય છે, ત્યારપછી સસ્વરૂપ આત્મામાંથી અહંકાર વગેરે વસ્તુને સારી પેઠે દૂર કરવી જોઈએ. (૨૦૭)
ટિપ્પણ: મહત્ત્વની વાત છે આત્માને આવરી રહેલા જીવભાવરૂપી દોષને દૂર કરવાની. આ દોષ દૂર થાય કે તરત જ આત્માની પોતાની પ્રથા પ્રગટ થઈ જાય છે, તે પોતે સ્વકીય પ્રકાશ વડે સ્પષ્ટપણે પ્રકાશે છે.
સાધકનો હંમેશનો પ્રયાસ યથાર્થ વિવેકબુદ્ધિના વિનિયોગ વડે, સસ્વરૂપ આત્મામાં, પેલા દોષને કારણે ઘર કરી બેઠેલા અહંકાર વગેરે વસ્તુનું સારી પેઠે, – એટલે કે આત્મા સંપૂર્ણ રીતે નિર્મળ થઈ જાય, એવી રીતે – નિવારણ કરવાનો હોવો જોઈએ. અંધારાને કારણે, દોરડા પરનાં સર્પરૂપી આરોપણના દોષનું નિવારણ થતાં જ, દોરડું પોતાનાં મૂળસ્વરૂપે, જોનારની સમક્ષ, સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યું એ જ રીતે, અહીં, આત્મા પર, અહંકાર વગેરે વસ્તુઓનાં આરોપણનો દોષ હતો ત્યાં સુધી, સસ્વરૂપ આત્માની પ્રતીતિ સ્પષ્ટ નહોતી.
અહંકાર વગેરે વસ્તુઓને કારણે, ભ્રમ-જન્ય અને અવિદ્યા-કલ્પિત જીવભાવ, એ જ આત્મા પરનાં આરોપણરૂપી દોષ. મોક્ષાર્થી સાધકે આ દોષનો “નિરાસ' કરવો જ રહ્યો ! (નિર/સ: વરણીય પર્વ ) ટૂંકમાં, “સત' પરનાં “અસત'ના આરોપણ-દોષનું નિવારણ એ, સાધક માટે, પાયાનો ધર્મ (Fundamental duty) બની રહે છે. (૨૦૭)
શ્લોકનો છંદ ઉપજાતિ (૨૦૦૭)
૨૦૮ अतो नायं परात्मा स्याद्विज्ञानमयशब्दभाक् । विकारित्वाज्जडत्वाच्च परिच्छिन्नत्वहेतुतः ।
दृश्यत्वाद् व्यभिचारित्वान्नानित्यो नित्य इष्यते ॥ २०८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
અતો નાયં પરાત્મા સ્યાદ્વિજ્ઞાનમયસભા / વિકારિવાજજડવાથ્ય પરિચ્છિન્નવહેતુતઃ | દિશ્યતાદ્ વ્યભિચારિવાજ્ઞાનિયો નિત્ય ઈષ્યતે | ૨૦૮ ||
શ્લોકનો ગદ્ય અન્વય : વિજ્ઞાનમયીમા (વોશ), વિવિાત, जडत्वात्, परिच्छनत्वहेतुतः (तथा च), दृश्यत्वात्, व्यभिचारित्वात्, नित्यः न રૂધ્યતે, (તમા) (૪) નિત્ય: (તિ), મત: (:) પરાત્મા ન થાત્ ર૦૮
શબ્દાર્થઃ મુખ્ય વાક્ય : વિજ્ઞાનમયરીત્વમા યં (શ:) નિત્ય: ૧ રૂધ્યતે || શબ્દમા - એ શબ્દ વડે વાચ્ય, એ નામે ઓળખાતો આ વિજ્ઞાનમય (કોશ),
૩૮૮ | વિવેકચૂડામણિ