________________
શ્રીપુરુષોત્તમદાસ હરકિશનદાસનો અમારો પરિવાર
પરમેશ્વર-પ્રસાદની પ્રાપ્તિ, ધર્મ-ભાવનાનું ધામ, પરરસ્પર-એમનું પ્રતીક, સંપ-સુમેળ-સદ્ભાવનાનું સાતત્યા
આદ્ય શ્રીશંકરાચાર્યનો આ ગ્રંથ, – “વિવેકચૂડામણિ”, – મારા નમ્ર મત પ્રમાણે, એક એવો વિરલ ગ્રંથ છે, જે, મનુષ્યને આધ્યાત્મિક પંથ પર પ્રયાણ કરવાની પુણ્ય-પ્રેરણા આપે છે અને તેને પોતાની સાચી ઓળખ આપવા દીવાદાંડી સમો છે.
આચાર્યશ્રી જયાનન્દ લક્ષ્મીશંકર દવે, અનેક વર્ષોથી અમારા પરિવારના મિત્ર છે. ગ્રંથના પ૮૧ શ્લોકોનું વિશદ વિવરણ, તેમણે કર્યું છે. આ સંપાદન માટે તેમણે, સતત નવ મહિના(ઓગસ્ટ-૨૦૦૧થી મે-૨૦૦૨)નો; ૮૫ વર્ષની ઉંમરે, સાત્વિક પરિશ્રમ કર્યો છે. મારાં ધર્મપત્ની અને મને, અને અમારી મારફત સમગ્ર ગુજરાતી પ્રજાને, સમર્પિત કરીને, અમને સદાનાં ઋણી બનાવ્યાં છે. અમારા માટે આ એક હૃદયસ્પર્શી આનંદ-ગૌરવનો અવસર છે.
ગત એપ્રિલની ૨૭મી તારીખે, પિતાજી પુરુષોત્તમદાસની જન્મતિથિ અમારા સમગ્ર પરિવારે ઊજવી હતી; તે દિવસે, આ ગ્રંથનાં ૧૫૦-પાનાં પ્રાપ્ત થયેલાં, તેનું પ્રતીકાત્મક વિમોચન, સહુની ઉપસ્થિતિમાં, થયું હતું અને ત્યારે, તે સહુને બતાવીને, માતાજી લલિતા અને પિતાજી પુરુષોત્તમદાસ હરકિશનદાસનાં સ્મારક અને શ્રદ્ધાંજલિ તરીકે, અમે સહુએ આ ગ્રંથને પ્રેમાદરપૂર્વક અપનાવ્યો હતો.
| વેદાંત-દર્શને ભલે “મમ-ભાવનો નિષેધ કર્યો, પરંતુ આપણે તો રહ્યો પૂરાં સંસારી ! “અમારો પરિવાર–એ શબ્દો અને પૂજ્ય માતા-પિતાનાં સ્મરણો સાથે, અમારાં સમગ્ર વ્યક્તિત્વમાં, એક પ્રકારની, અનન્ય-રોમાંચક કૃતજ્ઞતાની લાગણીનો સંસ્પર્શ વ્યાપી જાય છે ! અમારા સહુ પરના એમના ઉપકારો, સાચે જ, અવિસ્મરણીય અને અસીમ છે. એ ઉપકારોનું આલેખન શી રીતે કરવું ? સ્વયં વાણી પંગુ બની જાય છે અને શબ્દો લાચાર થઈ જાય છે.
આમ છતાં, માતા-પિતાએ અમને જે અઢળક વારસો આપ્યો છે તે સંપૂર્ણ રીતે સૂક્ષ્મ, સાત્ત્વિક અને સાંસ્કૃતિક છે, એમાં સાદગી અને સગુણોનો મહિમા છે, પરિશ્રમ અને પુરુષાર્થની પ્રશંસા છે, ધર્મ-ધ્યાન અને ઈશ્વર-ઉપાસનાની ઉત્કટતા છે. “સ્વ”માંથી “સર્વ” તરફ જવાનાં ઊર્વીકરણની આરાધનાની પ્રેરણા માટે, બાપાજી, અવારનવાર, આ શ્લોક, અમારી સમક્ષ મૂકતા :
૩૪ | વિવેકચૂડામણિ