________________
क्रियासमभिहारेण यत्र नान्यदिति श्रुतिः ।
ब्रवीति द्वैतराहित्यं मिथ्याध्यासनिवृत्तये ॥ (“જ્યાં તે અન્ય કાંઈ જોતો નથી” – એવું શ્રુતિવચન, એક હકીક્ત માટે અનેક ક્રિયાપદો યોજીને, મિથ્યા “અધ્યાસને દૂર કરવા માટે, બ્રહ્મમાં દૈતના અભાવનું પ્રતિપાદન કરે છે.”)
અને આ શ્રુતિ એટલે “છાંદોગ્ય”-ઉપનિષદનો નીચેનો મંત્ર, જેમાં ઉપનિષદના ઋષિએ, પોતાનાં પ્રતિપાદયિતવ્યને પ્રતીતિજનક બનાવવા માટે, એક જ વિધાનમાં ને અન્યત્ એ એક જ શબ્દ સાથે પતિ, શ્રગતિ અને વિજ્ઞાનાતિ, - એ ત્રણ ક્રિયાપદોને યોજ્યાં છે : यत्र नान्यत् पश्यति, नान्यत् श्रुणोति, नान्यद् विजानाति तद् भूमा ॥
. (૭, ૨૪, ૧). (“જ્યાં તે કશાં બીજાને જોતો નથી, બીજાને સાંભળતો નથી, બીજાને જાણતો નથી, એ જ “ભૂમા', એટલે કે સંપૂર્ણતા, અનન્યતા, સર્વોત્કૃષ્ટતા : Completeness, Perfection, Uniqueness, Excellenece.")
પુનરુક્તિની આ પદ્ધતિને જ આચાર્યશ્રીએ ક્રિયાસહારે એટલે કે પૌન:પુજેન થનમ, - એમ કહીને એનો બચાવ કર્યો છે.
અને છતાં, ગ્રંથનો ઊંડો અને સૂક્ષ્મ સ્વાધ્યાય કરતાં, અનેક વાર એવો વિચાર આવ્યો છે કે આવી પુનરુક્તિઓને ન નિવારી શકાઈ હોત ? આવાં પિષ્ટપેષણો વાચકના સ્વાધ્યાયમાં રસભંગ તો કરે જ છે, એટલું જ નહીં પણ એની સાર્થકતાયથાર્થતા પણ કોઈ પણ રીતે સિદ્ધ કરી શકાય એવું જણાતું નથી.
એકંદરે, એમ લાગે છે કે ગ્રંથમાંના પ્રતિપાદ્ય વિષયોનું નિરૂપણ વ્યવસ્થિત અને મુદ્દાસરનું (To the point) નથી. શંકરાચાર્ય જેવા એક આરૂઢ અને ઉત્તમ ગ્રંથકાર વિશે આવું કશું કહેતાં મનમાં ખૂબ ક્ષોભ-સંકોચ થાય છે, છતાં અચકાતાંઅચકાતાં અને અનિચ્છાએ પણ એમ કહ્યા વિના રહી શકાતું નથી કે મહાભારતમાંનાં “સનસુજાતીય” અને “વિષ્ણુસહસ્રનામ” પરનાં ભાષ્યો વિશે વિદ્વદૂવર્તુળોમાં જે પ્રચલિત માન્યતા છે તે પ્રમાણે, “વિવેકચૂડામણિ”ના કર્તા પણ, કદાચ, આદિ શંકરાચાર્ય નહીં, પણ પાછળથી શરૂ થયેલી શંકરાચાર્ય-પરંપરામાંના કોઈક ગૌણ કક્ષાના અનુગામી શંકરાચાર્ય હોય.
આ ગ્રંથનાં કર્તુત્વ (Authorship) વિશે, આવો અભિપ્રાય, આ પહેલાં, કોઈએ અભિવ્યક્ત કર્યો છે કે નહીં, એ વિશે હું કશું જાણતો નથી; અને આવો
૩૨ | વિવેકચૂડામણિ