________________
૧૬૫
छायाशरीरे प्रतिबिम्बमात्रे
यत्स्वप्नदेहे हृदि कल्पितांगे । यथात्मबुद्धिस्तव नास्ति काचिद् जीवच्छरीरे च तथैव मास्तु ॥ १६५ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
છાયાશરીરે પ્રતિબિમ્બમાત્રે
યત્સ્યપ્રદેહે હૃદિ કલ્પિતાંગે ।
યથાત્મબુદ્ધિસ્તવ નાસ્તિ કાચિદ્
જીવચ્છરીરે ચ તથૈવ માસ્તુ | ૧૬૫ ||
શ્લોકનો ગદ્ય અન્વય : પ્રતિવિશ્વમાત્રે છાયાશરીરે, ટ્િ ઋત્વિતાને (૬) स्वप्न यथा तव काचित् (अपि) आत्मबुद्धिः न अस्ति, तथा एव जीवत्-शरीरे ૬ (પિ) તવ (ગાભઽક્રિ) મા અસ્તુ ॥ ૬૬ ॥
શબ્દાર્થ : આખા શ્લોકમાં, યથા-તથા (જેવી રીતે, તેવી રીતે) એવા અર્થમાં, એક-બીજાં સાથે સંકળાયેલાં, બે વાક્યો મૂકવામાં આવ્યાં છે. સદ્ગુરુજી શિષ્યને કહે છે કે તથા વ નીવ-શરીરે 7 તવ (આત્મવુદ્ધિ:) મા અસ્તુ । નૌવત્શરીરે એટલે આપણું આ જીવતું, જાગ્રત અવસ્થામાં અનુભવાતું સ્થૂલ શરીર. તેવી જ રીતે (તથા વ) આ તારાં જીવતાં સ્થૂળ શરીરમાં તને ‘હું-પણાં’ની બુદ્ધિ (આત્મવૃદ્ધિ) ન થવી જોઈએ. કેવી રીતે ? થથા પ્રતિનિમ્નમારે છાયાશરીર, ડ્િ તિાંગે, સ્વનવેદે હૈં તવ ાચિત્ (પિ) આત્મબુદ્ધિ ન અસ્તિ (તથા) । છાયાશરીર એટલે દર્પણમાં પ્રતિબિંબ થયેલું (પ્રતિનિશ્ર્વિત) છાયારૂપી સ્થૂળ શરીર, વિ લ્પિત એટલે મનમાં-હૃદયમાં-અંતરમાં સ્પેલું (એ જ શરીર), સ્વનવેદ એટલે સ્વપ્રમાં જોયેલુંદીઠેલું શરીર. જેવી રીતે ઉપર્યુક્ત આવાં કોઈ જ પ્રકારનાં શરીરમાં તને ‘હું છું’ એવો કશો પણ ભાવ, એટલે કે આત્મબુદ્ધિ થતી નથી, તેવી જ રીતે, આ જીવતાં સ્થૂલ શરીરમાં પણ તને આત્મબુદ્ધિ ન થવી જોઈએ. (૧૬૫)
અનુવાદ : (દર્પણમાં) પ્રતિબિંબિત થયેલાં છાયારૂપી શરીરમાં, સ્વપ્રમાં જોયેલાં શરીરમાં અને મનમાં લ્પેલાં શરીરમાં તને જેમ કશી પણ આત્મબુદ્ધિ થતી નથી, તેવી જ રીતે (જાગ્રત-અવસ્થામાં અનુભવાતાં આ સ્થૂલ) શરીરમાં પણ, (તને આત્મબુદ્ધિ ન થવી જોઈએ. (૧૯૬૫)
ટિપ્પણ : તડકે જતાં હોઈએ ત્યારે, આપણાં સ્થૂલ શરીરનો પડછાયો (Shadow) જમીન પર પડે છે, અરીસાની સામે ઊભાં હોઈએ ત્યારે, અરીસામાં આપણાં એ જ શરીરનું પ્રતિબિંબિત (Reflection) પડે છે, થોડી વધુ કલ્પના કરીએ તો, સ્વપ્રમાં પણ આપણું તે કાલ્પનિક શરીર ર્હોઈએ છીએ.
પડછાયા-રૂપી શરીર, પ્રતિબિંબિત શરીર કે કાલ્પનિક શરીર, - આવાં ત્રણેય વિવેકચૂડામણિ / ૩૧૯
-