________________
શ્લોકનો ગુજરાતી પાઠ :
અત્રાત્મબુદ્ધિ ત્યજ મૂઢબુદ્ધ
વહ્માંસદોડસ્થિપુરીષરાશી ! સર્વાત્મનિ બ્રહ્મણિ નિર્વિકલ્પ
કુરુષ્પ શાન્તિ પરમાં ભજસ્વ . ૧૬૩ .. શ્લોકનો ગદ્ય અન્વય : (હે) મૂવુદ્ધ, માંસમેતો સ્થિપુરીપરાશ મત્ર (स्थूलदेहे) आत्मबुद्धिं त्यज। सर्वात्मनि निर्विकल्पे ब्रह्मणि (आत्मबुद्धिं) સુષ્ય | પરમાં શક્તિ (૨) મનસ્વ ૨૬રૂ |
શબ્દાર્થ : સ્કૂલ દેહ અને આત્માનાં સ્વરૂપ અને પરસ્પર સંબંધની બાબતમાં ગેરમાર્ગે જઈ રહેલા શિષ્યને “હે મૂઢબુદ્ધિવાળા !” ( મૂઢવુ) - એવાં સંબોધનથી, સદ્ગુરુ, આ પ્રમાણે, ત્રણ આદેશો આપે છે ?
(૧) ચા - ત્યજી દે, છોડી દે, ત્યાગ કર. (૨) (નાત્મવૃદ્ધિ) કુષ્ય – (આત્મબુદ્ધિ) કર, અપનાવ. (૩) મનસ્વ | પામજે, પ્રાપ્ત કરજે, મેળવ. હવે, આ ત્રણેય આશાઓ સાથે સંકળાયેલાં વાક્યોને સમજવાનો પ્રયત્ન કરીએ :
(૧) ગુરુજી, શિષ્યને શું છોડી દેવાનો આદેશ આપે છે ? મત્ર (ધૂન) માત્મવૃદ્ધિ | - અહીં, આ સ્થૂલ દેહમાં, આત્મબુદ્ધિ કરવાનો, એટલે કે “આ શરીર એ જ હું છું,’ એવી અહબુદ્ધિ, એવી ખોટી સમજણનો ત્યાગ કરવાનો આદેશ આપે છે. શા માટે? કારણ કે, આ પહેલાં કહેવાઈ ગયું છે તેમ, આ શરીર, ચામડી- માંસ-મેદ-હાડકાં-મળ વગેરેનો માત્ર ઢગલો છે, એનું જ એ માળખું છે. એ સિવાય એમાં બીજું કશું જ શુભ-મંગલ કે સાત્ત્વિક નથી, - તેથી. અને શિષ્ય મંદબુદ્ધિવાળો (મૂઢમતિ) હોય ત્યારે જ, તેને, આવો આદેશ આપવો પડે !
(૨) ઉપર્યુક્ત આદેશમાં જેમ, છોડવાની (ચળ) વાત છે તેમ, આ બીજા આદેશમાં, અપનાવવાની (ગુપ્ત) આજ્ઞા છે. શિષ્ય શું અપનાવવાનું - કરવાનું – સ્વીકારવાનું છે ? સર્વમાં આત્મારૂપે રહેલા (સર્વાત્મન) નિર્વિકલ્પ (
વિન્ય) એવા બ્રહ્મમાં આત્મબુદ્ધિ (ગ્રહણ) કરવાની છે. આવા બ્રહ્મમાં (માત્મવૃદ્ધિ કુષ્ય) આત્મબુદ્ધિ કરવી, એટલે “એ બ્રહ્મ હું પોતે જ છું' - એવી સમજણને અપનાવવી
સ્વીકારવી. આ બ્રહ્મ નિર્વિકલ્પ' એટલા માટે છે કે તેમાં કશા “વિકલ્પ' (Option) માટે અવકાશ નથી, આ કે તે, એવાં બીજાં કોઈ રૂપે તેને વર્ણવી શકાય એમ નથી, એટલે કે એનું સ્વરૂપ શાશ્વત છે, નિત્ય (Eternal) છે, પરિવર્તનથી પર છે.
(૩) શિષ્ય, ગુરુજીની, આ બીજી આજ્ઞા સ્વીકારે, એટલે પછી ત્રીજી આજ્ઞા તો, આ પ્રમાણે, શુભ પરિણામ સમી સ્વાભાવિક જ બની રહે કે - “તું ઉત્કૃષ્ટપરમ-સર્વશ્રેષ્ઠ શાંતિને (પરમાં શત) પ્રાપ્ત કર, પામ, મેળવ.” (માથ્વ) (૧૬૩)
૩૧૬ | વિવેચૂડામણિ