________________
અને (૩) સૂક્ષ્મ વિવેકબુદ્ધિની વિજ્ઞાન-સિદ્ધિ ધરાવતો, સાચો જ્ઞાની, મહાત્મા, એવો મનુષ્ય.
પેલા પ્રસ્તુત પ્રશ્ન પરત્વે, આ ત્રણ વ્યક્તિની સમજણ આ પ્રમાણે હોય છે :
(૧) જેની બુદ્ધિ એટલે કે વિચારશક્તિ જ જડ, નિષ્ક્રિય છે, જે કશું વિચારી જ શક્તો નથી, એ બિચારો તો, સુંદર-મજાના આકર્ષક પોતાના સ્થૂળ દેહને જુએ કે તરત જ, - “હું” એટલે બીજું કશું નહીં, “આ દેહ જ છું ! - એમ માની બેસે છે.
(૨) પંડિતની બુદ્ધિ થોડી કેળવાયેલી છે, કારણ કે કોઈક સારી પાઠશાળા(University)માં ભણીને, વેદો-શાસ્ત્રો-દર્શનો વગેરે વિશે વ્યાપક અને ઊંડા સ્વાધ્યાયની, વિદ્વત્તાની, ઉચ્ચ કક્ષા તેણે પ્રાપ્ત કરી છે. આમ, એની વૈચારિકબૌદ્ધિક કક્ષા (Intellectual-level) ઘણી ઊંચી હોવા છતાં, આધ્યાત્મિક અને તાત્ત્વિક બાબતોમાં (spiritual, Philosophical matters) તે સાવ કોરો છે, એની કેળવણી માત્ર બુદ્ધિ અને જીવનાં સ્વરૂપ સુધીની જ મર્યાદિત છે, હૃદયઅંત:કરણ-આત્મા જેવાં સૂક્ષ્મ અને આંતર (Internal) તત્ત્વો બાબતમાં તે હજી સંપૂર્ણતઃ અનભિજ્ઞ છે. પરિણામે, તે દેહ અને જીવમાં “અહં બુદ્ધિવાળો હોય છે : “દેહવાળો જીવ હું છું', એમ તે માને છે.
(૩) ત્રીજો માણસ, ખરેખર, વિવેક-વિજ્ઞાન-સંપન્ન એવો એક વિરલ મહાત્મા છે. બ્રહ્મનાં મૂળભૂત સાચા સ્વરૂપની એને પૂરી અને પાકી સમજણ છે. તેથી સ્થૂળ શરીર અને જીવની મર્યાદાથી તે સંપૂર્ણરીતે પરિચિત છે. તેની આંતર-દષ્ટિ ઊઘડી ગઈ હોવાથી, તેને સમ્યક પ્રતીતિ થઈ ગઈ હોય છે કે બીજું કશું જ નહીં, પરંતુ હું સ્વયં બ્રહ્મ જ છું !”
આવી ત્રણ વ્યક્તિઓનાં બાહ્ય તથા આંતરિક વ્યક્તિત્વનાં આટલાં નિરીક્ષણ પછી, પ્રવર્તમાન વિશ્વવિદ્યાલયોમાં પ્રચલિત બનેલા, પારિભાષિક શબ્દોને પ્રયોજીને, આપણે નિઃસંકોચ કહી શકીએ કે :
(૧) પ્રથમ વ્યક્તિ માત્ર દુન્વયી માણસ તરીકે ત્રીજા વર્ગમાં (II - class) પાસ, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિએ તો પૂરેપૂરી નાપાસ થાય છે.
(૨) વચલી વ્યક્તિ બીજા વર્ગમાં (II - class) ઉત્તીર્ણ થાય છે.
(૩) ત્રીજી વ્યક્તિ પ્રથમ વર્ગમાં પણ પ્રથમ ક્રમ (1st class First) મેળવીને, સર્વોચ્ચ સિદ્ધિનો અધિકારી બને છે.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૬૨)
૧૬૩ अत्रात्मबुद्धि त्यज मूढबुद्धे
त्वङ्मांसमेदोऽस्थिपुरीषराशौ । सर्वात्मनि ब्रह्मणि निर्विकल्पे कुरुष्व शान्ति परमां भजस्व ॥ १६३ ॥
વિવેકચૂડામણિ / ૩૧૫