SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ અળગી, ન્યારી. કોનાથી? - સ્થૂલ શરીરથી; “વિલક્ષણ’ એટલે કેવી? પરમાર્થપૂત પારમાર્થિક સત્ય તરીકે, પરમ-અર્થ-સંપન્ન એવા આત્મા તરીકે, વેરિ – સમજે છે, જાણે છે, ઓળખે છે. મૂઢજન” અને “વિચારશીલ' એવા બે પરસ્પર-ભિન્ન મનુષ્યોની જૂદી જૂદી સમજણ અને માન્યતા વચ્ચેનો તફાવત દર્શાવવા માટે, ઉપર્યુક્ત બંને વાક્યો વચ્ચે (7) શબ્દ “અધ્યાહાર્ય છે, એમ સમજવાનું છે. (૧૬) અનુવાદ : મૂર્ખ માણસ, ચામડી-માંસ-મેદ-હાડકાં-મળના ઢગલા(સમાન સ્કૂલ દેહ)માં “હું-બુદ્ધિ કરે છે, જ્યારે વિચારશીલ માણસ પારમાર્થિક સત્ય એવા પોતાનાં સ્વરૂપને, તે(હિ)થી વિલક્ષણ સમજે છે. (૧૬૧) ટિપ્પણ: “સ્કૂલ શરીર તે આત્મા નથી” – એ ચર્ચામાં, અંતે, પેલા પૂર્વપક્ષે, પોતાનો પરાજય સ્વીકારી લીધો છે, એમ આપણે સમજી લેવાનું રહે છે, કારણ કે અહીંથી સિદ્ધાંતપક્ષ તથા પૂર્વપક્ષ, - એ બંને પક્ષોની વિચારધારામાં માન્યતા ધરાવનારા, બે, જૂદા જૂદા સ્વભાવવાળા, માણસો વચ્ચેના તફાવતને સમજાવવામાં આવે છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે “Beauty is skin-deep”. માણસને શરીર સુંદર કેમ લાગે છે? બહારની ધૂળ ચામડી સુંદર છે, તેથી. પરંતુ ચામડીનું પડ તો સાવ પાતળું હોય છે, અને ચામડીની નીચે, અંદર, શરીરમાં તો માંસ-મળમૂત્ર વગેરેની ગંદકી જ ભરેલી છે ! પરંતુ મૂઢ માણસ તો શરીર-ઉપરની રૂપાળી ચામડીથી જ પ્રસન્ન અને પ્રભાવિત થઈ જાય છે ! શરીરની અંદર ભરપૂર માત્રામાં રહેલી ગંદકી વિશે તો, આંખથી તે અળગી હોવાથી, તે વિચારી શકતો જ નથી, - તેની “મતિ” “મૂઢ' હોવાથીસ્તો ! અને આનું પરિણામ ? “હું સ્કૂલ શરીર જ છું !' – એવી મિથ્યા અને અનર્થ-જનક સમજણ ! શરીરથી આગળ-ઊંચે અને “અંદર', પેલી ગંદકી ઉપરાંત, એની પેલી પાર પોતાનાં મૂળભૂત સ્વરૂપ સમા, હકીકતમાં તો સદા વસી રહેલા, સ્વયં પરત્માત્માના અંશને, આત્માને, તે જોઈ શકતો નથી, જોવાનું તેને સૂઝતું જ નથી : What a tragedy ! What a tragic irony ! - આની પડછે. પેલા વિચારશીલ અને જ્ઞાની મનુષ્યની સિદ્ધિ જુઓ : એની વિવેકબુદ્ધિ અને સાચી અને સૂક્ષ્મ દૃષ્ટિ આપે છે, જેના વડે, શરીરમાંની પેલી બધી ગંદકીની સંપૂર્ણ ઉપેક્ષા કરીને, એની પેલી પાર રહેલાં પોતાના સ્વરૂપને, પેલાં શરીર તથા એની ગંદકીથી વિલક્ષણ, પારમાર્થિક સત્ય એવા આત્મા તરીકે, ઓળખી લે છે ! આવી સાચી સૂક્ષ્મ દૃષ્ટિ, સમજણ અને આવાં જ્ઞાનને કારણે, “હું તો સ્કૂલ શરીરના અહંભાવ–મમભાવથી અળગો, અસંગ, વિલક્ષણ આત્મા છું!'- એવી પ્રતીતિ વડે તે ધન્ય બની જાય છે, અને મોક્ષપ્રાપ્તિ વડે એનો બેડો પાર થઈ જાય છે ! શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૯૬૧) વિવેકચૂડામણિ | ૩૧૩
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy