________________
એનાં દૂરીકરણ બાબત સાવધાન રહેવાનું પણ, સદ્ગુરુએ, સાધકને, શક્ય અને જરૂરી એવું સઘળું માર્ગદર્શન આપી દીધું છે.
આવું જ અને એટલું જ અનર્થકારક વિઘ્ન એટલે સ્થૂળ દેહમાં રહેલાં, ‘અન્નમય’ વગેરે પાંચ કોશો.
હવે, અહીંથી, આ શ્લોકથી, હવે પછીના અનેક શ્લોકોમાં, આ પંચકોશરૂપી વિઘ્નની, એનાં સ્વરૂપની સમજૂતી આપવામાં આવી છે. આ શ્લોકમાં, અન્નથી જ ઉત્પન્ન થયેલા, એનાથી જ જીવી શકતા અને એના વિના અવશ્ય વિનષ્ટ થતાં (એટલે કે મૃત્યુ પામતાં) સ્થૂળ શરીરને જ ‘અન્નમય' કોશ કહેવામાં આવ્યો છે, એટલું જ નહીં પણ બીજી, પાયાની વાત (Fundamental fact) એ પણ નિરૂપિત કરી દેવામાં આવી છે કે ચામડીથી માંડીને મળમૂત્ર સુધીનાં, સંપૂર્ણતઃ ‘અશુદ્ધ’ એવાં તત્ત્વોથી ભરેલું આ સ્થૂળ શરીર ‘નિત્યશુદ્ધ’ એવો આત્મા કદાપિ હોઈ શકે નહીં.
‘અન્નમય’ કોશ બની રહેલાં આવાં ‘સ્થૂળ શરીર’ને ‘આત્મા’ માની બેસવાની ભયંકર ભૂલ સાધક ન કરે, એ માટે સદ્ગુરુએ સમયસરની, સૂચક અને પ્રતીતિજનક ચિમકી અહીં સાધકને આપી દીધી છે.
શ્લોકનો છંદ : વસંતતિલકા (૧૫૬) ૧૫૭
पूर्वं जनेरपि मृतेरपि नायमस्ति
जातः क्षणं क्षणगुणोऽनियतस्वभावः । नैको जडच घटवत् परिदृश्यमानः
स्वात्मा कथं भवति भावविकारवेत्ता ॥ १५७ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
પૂર્વ જનેરપિ મૃતેરપિ નાયમસ્તિ
જાતઃ ક્ષણું ક્ષણગુણોઽનિયતસ્વભાવઃ ।
નૈકો જડશ્વ ઘટવત્ પરિદૃશ્યમાનઃ
સ્વાત્મા કથં ભવતિ ભાવવિકારવેત્તા ॥ ૧૫૭ ॥
શ્લોકનો ગદ્ય અન્વય : અયં (વેદઃ) નને: પૂર્વ અત્તિ, મૃતે: (પશ્ચાત્ ગત્તિ) ન સ્તિ । (સ: લેહ:) ક્ષળ નાત:, ક્ષણમુળ: અનિયતત્વમાવ: (૬), 7 : (અર્થાત્ અને રૂપ: મસ્તિ), ન: પવત્ પવૃિશ્યમાન (શ્વ અસ્તિ), પૃથ ન મસ્તિ) । (શ:) ભાવવિાવેત્તા (વે.) થં સ્વાત્મા મવૃત્તિ ? ॥ ૧૭ ||
શબ્દાર્થ : મુખ્ય વાક્ય છે : અર્થ (વે) નને: પૂર્વ અપિ મૃà: (પશ્ચાત પિ) ન અસ્તિ । નનિ એટલે જન્મ, અને સ્મૃતિ એટલે મૃત્યુ. તે બંને શબ્દોનું છઠ્ઠી વિભક્તિ એકવચનનું - રૂપ બને. અને મૃતેઃ. જન્મની પહેલાં પણ અને વિવેકચૂડામણિ / ૩૦૫
ફર્મા - ૨૦