________________
૩મવન - એટલે અન્ન વડે પોષણ પામતું, ઘડાતું અને એમાંથી જ ઉત્પન્ન થયેલું;
માં હદ - ઉપર્યુક્ત વિશેષણ વડે આ સ્થૂળ શરીર અન્નમય: બ્રોશર - “અન્નમય' કોશ છે. આવું શરીર એ જ “અન્નમય કોશ છે. આ સ્થૂળ શરીર કેવું છે? એની વિશેષતા શી છે? કેવી છે? - આ બેઃ એક,(સ: રેહા) અન્નેન નીતિતે દેહ અત્રથી જીવે છે, જીવતું રહે છે; અને બે,-(સ: તેહ.) ત૬-વિહીન: ૨ વિનશ્યતિ,અને તેના વિના, એટલે કે અન્ન વિના, તે વિનાશ પામે છે. આ સ્થળ શરીર વિશે બીજું શું કહેવામાં આવ્યું છે? એ જ કે સમયે (ડ) વયે નિત્યશુદ્ધ (આત્મા) વતું ન ગતિ - આ સ્થૂળ શરીર પોતે, નિત્યશુદ્ધ એવો આત્મા બની શકે નહીં, એવો આત્મા હોવાને, બનવા માટે યોગ્ય નથી, લાયક નથી. આનું કારણ શું? (યે ) વવર્મ-માંસ-ધર-સ્થિ–પુરીષ-શિ. (પ્તિ) | ત્વ એટલે સૂક્ષ્મ, અંદરની, પાતળી ચામડી, વર્મ એટલે ચામડી, એટલે સ્થૂળ પ્રકારની, બહારની, જાડી ચામડી; થિ એટલે હાડકાં, પુરીષ - એટલે મળમૂત્ર; અને રાશિ - સમૂહ, સમુદાય, સંગ્રહ, Collection. આવું આ સ્થૂળ શરીર નિત્યશુદ્ધ આત્મા હોવાને લાયક નથી, એનું કારણ એ છે કે ચામડીથી માંડીને, માંસ-લોહી-હાડકાં અને મળ-મૂત્ર જેવાં અશુદ્ધ, ગંદાં, મલિન તત્ત્વોનો સમૂહ માત્ર તે છે. આવાં ક્ષુદ્ર, અસ્વચ્છ અને હીન તત્ત્વોનું બનેલું સ્થૂલ શરીર, નિત્યશુદ્ધ એવા આત્મા હોવાની યોગ્યતા કેવી રીતે ધારણ કરી શકે ? કદાપિ આવું સંભવિત બની જ ન શકે, એવો એકમાત્ર અને સાચો ઉત્તર પેલા સવાલનો હોઈ શકે, - એ સ્પષ્ટ અને સુનિશ્ચિત છે. (૧૫૬) .
અનુવાદ : અન્ન વડે પોષાતું આ સ્થૂળ શરીર (એ જ) અન્નમય કોશ છે. અન્નથી તે જીવતું રહે છે અને તેના તે વિના વિનાશ પામે છે, (તેથી) ત્વચા, ચામડી, લોહી, માંસ, હાડકાં અને મળમૂત્રના સમૂહ-રૂપ આ (ધૂળ) શરીર પોતે નિત્યશુદ્ધ એવો આત્મા હોઈ શકે નહીં. (૧૫૬)
ટિપ્પણ : મોક્ષાર્થી સાધક માટે આત્મ-દર્શન, આત્મ-સાક્ષાત્કાર અનિવાર્ય રીતે આવશ્યક (Indispensable) છે, એમ આ પહેલાં, અનેક વાર અને અનેક ભિન્ન ભિન્ન રીતે, નિરૂપિત કરવામાં આવ્યું છે.
અને આત્મદર્શન તો ત્યારે જ શક્ય બને, જ્યારે સાધકને આત્માનાં મૂળભૂત, સ્વરૂપનો સાચો-સમ્યફ-સંપૂર્ણ પરિચય થાય, અને આ પરિસ્થિતિ પણ ત્યારે જ શક્ય બને, જ્યારે તે આ દૃશ્ય અને સ્થૂલ જગતમાંનાં શરીર-ઇન્દ્રિયો વગેરે જેવાં, જે આત્મા નથી તેવાં, સર્વ “અનાત્મ-તત્ત્વોથી “આત્મા’નો વિવેક કરી શકે.
આત્માનાં શુદ્ધ સ્વરૂપનાં દર્શનની આડે આવતાં, એને “આવૃત કરતાં અને એને “વિક્ષિપ્ત' કરતાં બે વિનો, એટલે તમોગુણની “આવરણ'-શક્તિ અને રજોગુણની વિક્ષેપ'-શક્તિ. આ બે વિઘ્નોનાં જોખમ, એની ભય-ઉત્પાદક શક્તિ વિશે અને
૩૦૪ | વિવેકચૂડામણિ