________________
आत्मानं विविच्य, तत्र सर्वं प्रविलाप्य यः (विवेकशीलः साधकः) तत्-आत्मना તિતિ, સ: મુp: (પ્તિ) | ૨૫૧ ||
શબ્દાર્થ : મુખ્ય વાક્ય છે : : મુ. (તિ) તે મનુષ્ય મુક્ત છે, તે સાધક સંસારનાં બંધનમાંથી છુટકારો મેળવે છે. ક્યો મનુષ્ય? - : ત–માત્મના તિતિ (સ: મુ$: પ્તિ) | તેવા આત્મસ્વરૂપે વિંકી સાધક રહે છે, આત્મામાં જ વિહાર કરતો, રત રહીને જીવન ગાળે છે તે (મુક્ત છે). તે આવું, શું કરીને, કર્યા પછી, પામી શકે છે? આ બે પ્રક્રિયા કર્યા પછી : માત્માનં વિવિષ્ય અને તત્ર સર્વ પ્રવિતાથ; - એક આત્માને સર્વથી જૂદો સમજીને, બીજી બધી બાબતોથી આત્માનો વિવેક કરીને, અને બે આત્મામાં જ સર્વનો વિલય કરીને. આત્માને શાથી જુદો સમજે છે ? વત્ – દેખાતા સર્વ પદાર્થોથી, સર્વ-સમગ્ર દૃશ્ય જગતથી. આ આત્મા કેવો છે? - આ ત્રણ વિશેષણો ધરાવતો : એક,- પ્રત્યેવું સર્વની અંદર-ભીતર રહેલો, પરોક્ષ-પ્રત્યક્ષ અનુભવાતો; બે,- એ કશા પણ સંગ કે વિકાર વિનાનો, નિર્વિકાર, અનાસક્ત; ત્રણ, યેિ કશી પણ ક્રિયા ન કરતો, નિષ્ક્રિય, અક્રિય; આવું તે કોની જેમ કરે છે? મુંબ રૂષી રૂવ (વિવિવ્ય) - મુંન એટલે “મુંજ' નામનું ઘાસ; રૂષો એટલે સળી; મુંજઘાસમાંની સળીને મુંજથી જૂદી સમજી લેવાય, તેવી રીતે; ટૂંકમાં, વાત છે, વિવેકના, સમજપૂર્વકના, ઉપયોગ-વિનિયોગની. (૧૫૫)
અનુવાદઃ મુંજ-ઘાસમાંની સળીની જેમ, દેખાતા આ સર્વ પદાર્થોના વર્ગમાંથી પ્રત્યક્ષ અનુભવાતા, અસંગ અને નિષ્ક્રિય આત્માને જુદો સમજીને, જે (વિવેકી સાધક), તે આત્મામાં જ સર્વનો વિલય કરીને, તેવા આત્મસ્વરૂપે જ રહે છે, તે જ મુક્ત છે. (૧૫૫)
ટિપ્પણ : સમજુ માણસ બહુ જ સૂક્ષ્મ એવા મુંજ-ઘાસ પરનું પડ દૂર કરીને, તેની વચમાં, તેની અંદર, રહેલી સળીને, તેને ઘાસથી જુદી-ભિન્ન-અલગ સમજે છે. ઘાસ અને સળી, - બંને સાથે હોવા છતાં, સળી ઘાસથી જુદી છે, - એવો વિવેક તે કરે છે તેમ, વિવેકશીલ સાધક, આ દશ્યમાન જગતમાંના સર્વ પદાર્થોથી, એ સર્વની અંદર જ રહેલા અને અસંગ તથા નિષ્ક્રિય એવા આત્માને જુદો સમજે છે. પેલા બધા દશ્ય પદાર્થો, એટલે કે દેહ-ઇન્દ્રિય વગેરે આત્મા સાથે જ રહેતા હોવા છતાં, તે “આત્મા' નથી “અનાત્મા” છે, - એવો વિવેક કરી શકે છે, એટલું જ નહીં પરંતુ પેલા સર્વ “અનાત્મા પદાર્થોનો આત્મામાં જ વિલય કરે છે અને, અંતે, આવા અદ્વિતીય, અખંડ, અભેદ, નિર્વિકાર, નિત્ય અને નિર્મળ આત્મામાં જ સતત વિહાર કરતાં કરતાં પોતાનું જીવન વ્યતીત કરે છે, તે, ખરેખર, ધન્ય છે. બસ, જે સાધક આટલો વિવેકશીલ રહી શકે છે, એટલે કે આત્માને સર્વ
૩૦૨ | વિવેકચૂડામણિ