________________
આમ તો, પોતે આનંદરૂપ જ હતો, પરંતુ પેલા વિવેકના અભાવે, તે પોતાની જાતને તે રૂપે જોઈ શકતો ન્હોતો, આત્મદર્શન કરી શકતો હતો. પેલા વિવેકનાં પરિણામે, અનાત્માનાં આવરણો દૂર થઈ ગયાં, એટલે આત્મા પોતાનાં મૂળભૂત સ્વરૂપે સાધકની સમક્ષ પ્રગટ-પ્રકાશિત થઈ ગયો !
અહીં બે વાતને બરાબર સમજી લેવાની જરૂર છે : એક તો એ કે મનુષ્ય પોતે સચ્ચિદાનંદ-સ્વરૂપ જ છે, એટલે પોતાના એ મૂળ સ્વરૂપનો અનુભવ, એ જ એનું જીવન-ધ્યેય છે. બીજી એવી જ મહત્ત્વની વાત એ છે કે જ્યારે તે, પેલા વિવેકનાં પરિણામે, પોતાનાં સચ્ચિદાનંદ-સ્વરૂપનું દર્શન કરે છે, એટલે કે તે પોતાની જાતનું, પોતાના આત્માનું દર્શન કરે છે ત્યારે, તે કશું બનવું જોતો નથી. આત્મા તો હતો જ, તેને જ તે જુએ છે. જે “અદશ્ય' હતો તે હવે “દશ્ય' બની ગયો ! પેલી વાવમાં શુદ્ધ જળ તો હતું જ, શેવાળનાં પડ દૂર થવાથી જે જળ પેલા તરસ્યા માણસને વાવમાં દેખાયું, તે કશું “નવું' તત્ત્વ હોતું. શેવાળ વડે ઢંકાયેલું, “અદશ્ય' જળ, શેવાળ દૂર થતાં, “દશ્ય” બન્યું !
ટૂંકમાં, કશું “અ-પ્રાપ્ત' હતું, તે હવે “પ્રાપ્ત' બન્યું, એવું અહીં નથી. “પ્રાપ્ત જ હતું, પણ અમુક આવરણનાં કારણે જે “પ્રાપ્ત' છે એમ જણાતું હોતું તે, પેલું આવરણ દૂર થતાં, “પ્રાપ્ત' બન્યું.
આત્મા ક્યારેય “અ-પ્રાપ્ત' હોતો, હોઈ શકે જ નહીં, “પ્રાણ જ હતો, પ્રાપ્ત લાગતો ન્હોતો, તે હવે “પ્રાપ્ત' બની રહ્યો !
અધ્યાત્મશાસ્ત્રમાં, અથવા તો, સવિશેષ સ્પષ્ટ રીતે કહીએ તો, મોક્ષશાસ્ત્રમાં, આવી અનુભૂતિને “પ્રાણ પ્રતિઃ' કહેવામાં આવે છે.
શ્લોકનો છંદ : આર્યા (૧૫૪)
૧૫૫
मुंजादिषीकामिव दृश्यवर्गात्
प्रत्यंचमात्मानमसंगमक्रियम् । विविच्य तत्र प्रविलाप्य सर्वं
તરાત્મના તિર્કતિ યઃ સ મુ. | જ | બ્લોકનો ગુજરાતી પાઠ:
મુંજાદિષીકામિવ દેશ્યવર્ગાતું
પ્રત્યંચમાત્માનમસંગમક્રિયા વિવિથ્ય તત્ર પ્રવિલાપ્ય સર્વ
તદાત્મના તિષ્ઠતિ યઃ સ મુક્તઃ | ૧૫૫ / શ્લોકનો ગદ્ય અન્વયઃ મુંઝાત્ રૂપીવો વ વત્ પ્રત્યે માં વિર્ય
* વિવેકચૂડામણિ | ૩૦૧