SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સંવાદના સ્વરૂપમાં પ્રયોજવામાં આવે તો તે જીવંત તો બને જ, પરંતુ તે ઉપરાંત, તેમાં નાટ્યાત્મકતાનો અંશ હોવાથી, તે, સહૃદય સ્વાધ્યાયીનાં મન-હૃદય ઉપરાંત તેનાં અંતઃકરણનાં છેક અંતસ્તલને સ્પર્શે એવો રસાત્મક અને સ્થાયી મૂલ્યવાળો, પણ બની રહે છે. શ્રીમદ્ભગવતગીતા પણ આવો જ, ઉપનિષદોનાં દોહન જેવો (સર્વોપનિષો માવો ), એક દાર્શનિક કક્ષાનો ગ્રંથ છે; પરંતુ તે માત્ર ભારતીય સંસ્કૃતિનો જ કે હિંદુ ધર્મનો જ નહીં, પણ સમગ્ર વિશ્વનો, - વૈશ્વિક કક્ષાનો – એક મહાગ્રંથ બની ગયો છે, એની પાછળનું રહસ્ય પણ આ જ છે. પ્રથમ પંક્તિના એક પરાક્રમ-વીર સમો અર્જુન, મહાભારતનાં કુરુક્ષેત્ર યુદ્ધમાં લડવાના પોતાના “ધર્મ”(Duty)ની બાબતમાં મુંઝાઈ ગયો હતો, પરંતુ તેનાં આ ધર્મપાલન વિશે સીધો ઉપદેશ આપીને ભગવાન શ્રીકૃષ્ણ તેને યુદ્ધની ધમ્મતા'ની પ્રતીતિ ન્હોતી કરાવી; પણ ધર્મની બાબતમાં જેનું મન મુંઝાઈ ગયું છે (ધર્મસંમૂઢતા:) એવા અર્જુને, શિષ્ય તરીકે, પ્રપન્નભાવે શરણે જઈને, જ્યારે શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી કે – શિષ્યતેંડ૬ શા માં ત્યાં પ્રપનમ્ ! (૨, ૭) ત્યારે ગુરુ તરીકે ભગવાન શ્રીકૃષ્ણ તેને ૧૮ અધ્યાયો અને ૭૦૦ શ્લોકોમાં, યુદ્ધમાં લડવાના તેના ધર્મ વિશે જે ઉપદેશ આપ્યો તે, ગુરુ-શિષ્ય વચ્ચેના સંવાદાત્મક સ્વરૂપનો હતો તેથી જ, અર્જુન માટે તે પ્રતીતિજનક નીવડ્યો અને તેણે ભગવાનનાં ઉપદેશવચનો પ્રમાણે, યુદ્ધમાં લડવાના સ્વધર્મને સ્વીકાર્યો હતો : - नष्टो मोहः स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत । સ્થિતો ગતસવૅ ળેિ વચનં તવ છે ૧૮, ૭૩ છે આમ, ભારતીય સાંસ્કૃતિક પરંપરાનો, સંસ્કૃત ભાષાનો એક ધર્મ-ગ્રંથ, આંતરરાષ્ટ્રીય કક્ષાનો એક વિશ્વગ્રંથ બની રહ્યો, એની પાછળનું એકમાત્ર કારણ, એની સંવાદાત્મક-સ્વરૂપની નિરૂપણ-પદ્ધતિ છે. અને શ્રીમદ્ભાગવત જેવા એક લોકપ્રિય ભક્તિ-ગ્રંથની બાબતમાં પણ આવું જ બન્યું હતું : પેલા નિર્દોષ મુનિ પ્રત્યેના પાપાચરણ બદલ, તક્ષક નાગ, રાજા પરીક્ષિતને, સાતમે દિવસે, કરડવાનો હતો ત્યારે, પરીક્ષિત, પોતાનાં સર્વસ્વનો ત્યાગ કરીને, “પ્રાયોપવેશન-વ્રત ધારણ કરીને, ગંગાતટે, ઋષિઓના સમાગમમાં પહોંચ્યો ત્યારે, અચાનક જ ત્યાં આવી પહોંચેલા શુકદેવજી સમક્ષ, તેણે આ પ્રાર્થના વિનમ્રભાવે રજૂ કરી હતી કે “મૃત્યુ પામી રહેલા માણસનું કર્તવ્ય શું અથવા તેણે શું ન કરવું ?” – ૨૮ | વિવેકચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy