________________
શુદ્ધ-ગઢય-હા-વિરોધ-નાથા (પ્તિ) | સર્વ રનઃ તમ: તિ પ્રસાદ તરીયાદ TI: સ્વાર્થે થતા: (ત્તિ) / (૧૧૨) | શબ્દાર્થ – મુખ્ય વાક્ય છે : (શ્ય માયા) શુદ્ધ-મ-વ-વિનોધ-નારા (પ્તિ) | મદય - એટલે અદ્વૈત, અદ્વિતીય, અજોડ. વિવોધ - એટલે જ્ઞાન; નાથા-નાશ પામનારી, નાશ પામે છે, નાશ પામે તેવી છે : (આ માયા) શુદ્ધ અને અદ્વૈત બ્રહ્મનાં જ્ઞાન વડે નાશ પામે છે. તે કેવી રીતે નાશ પામે છે? યથા રજીવિવેક: સપ્રમ: (નાસ્થ:, તથા). રજુ એટલે દોરડું, દોરડી; વિવેત:જ્ઞાન, માહિતી, સ્પષ્ટ સમજણ,- વગેરેથી, એવું જ્ઞાન થવાથી, એવું સ્પષ્ટ જાણવાથી;
એ સર્પ નથી, પણ દોરડી છે,' એવી સમજણ વડે; પ્રમ:-શ્રાંતિ, ભ્રમણા, ખોટીમિથ્યા છાપ. ના -નાશ પામે છે, દૂર થાય છે.
રાત્રે બહાર જતાં, અંધારામાં પડેલું દોરડું જોઈને, માણસ છળી ઊઠે છે, - “દોરડું નહીં પણ આ તો ગૂંચળું વળીને પડેલો સાપ છે !” પરંતુ ફાનસ કે બેટરીનો પ્રકાશ મળતાં, “એ તો દોરડું છે,” એવું જ્ઞાન થતાં(વિવેત:), માણસનાં મનમાંથી સાપ વિશેની પેલી ભ્રમણા નાશ પામે છે.
આને “રજુસર્પન્યાય” કહેવામાં આવે છે, અને “જગત મિથ્યા છે, અને બ્રહ્મ સત્ય છે,” - મોક્ષાર્થીને એવી પ્રતીતિ કરાવવા માટે, વેદાંત-ગ્રંથોમાં, આ દષ્ટાંત ખૂબ પ્રચલિત અને પ્રસિદ્ધ છે.
હવે, બીજું વાક્ય છે : તલીયા: (માવાયા:) રા: તમ: સર્વ કૃતિ પ્રસિદ્ધ ગુણ: સ્વાર્થ પ્રથિત: (ત્તિ) | માયા કેવી રીતે નાશ પામે છે, તે વાત, આ પહેલાંનાં વાક્ય મારફત, જણાવવામાં આવ્યું. હવે, તે માયાના ત્રણ ગુણોનાં સ્વરૂપ વિશે આ વાક્યમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. તવીયા એટલે તેના, તે માયાના; સત્ત્વરજ-તમસુ-એ નામે પ્રસિદ્ધ, પ્રખ્યાત એવા ત્રણ ગુણો કેવા છે? વળા થતા: (ત્તિ) | uથત - જાણી શકાય તેવા, ઓળખાતા; સ્વ. - પોતપોતાનાં, જૂદા જૂદા, વિશિષ્ટ કાર્યો વડે. માયાનું કાર્ય એટલે જગત અને જગતમાંના પદાર્થો. તેમાં જ્ઞાન-પ્રકાશ-ઉલ્લાસ (સર્વ), દુઃખ(ર), અને મોહ(તમ), - વગેરે, તે તે ગુણોની, પોતપોતાનાં કાર્યોની, અનુક્રમે, વિશિષ્ટતા-ઓળખાણ હોવાથી (સ્વા.
થતા); - એટલે કે સત્ત્વગુણનું સ્વકાર્ય, જ્ઞાન અને પ્રકાશ આપવાનું; રજોગુણનું સ્વકાર્ય, દુઃખ સર્જવાનું અને તમોગુણનું સ્વકાર્ય એટલે મનુષ્યનાં મનમાં મોહ ઊભો કરવાનું; આ ત્રણ, તે ત્રણ ગુણોનાં પોતપોતાનાં, સ્વકીય કાર્યો છે અને એ રીતે માયાનાં તે ત્રણ ગુણો પ્રસિદ્ધ છે. (૧૨)
અનુવાદ – જેમ દોરડાનું જ્ઞાન-ભાન થતાં, સાપ વિશેની ભ્રમણા નાશ પામે છે, તેવી રીતે, (આ માયા) શુદ્ધ-અદ્વૈત બ્રહ્મનાં જ્ઞાન વડે નાશ પામે છે; (અને) પોતપોતાનાં કાર્યો વડે ઓળખાતા, સત્ત્વ, રજસ - તમસ એ(ત્રણ) તે(માયા)ના પ્રસિદ્ધ ગુણો છે. (૧૧૨). ટિપ્પણ – માયા તો ઉપર કહ્યું તેમ, “દુસ્તર” અને “દુરત્યય' છે, પરંતુ એને
વિવેકચૂડામણિ | ૨૨૧