________________
જાગ્રત - અવસ્થામાંની વિવિધ, અનેકવિધ, જાત-જાતની વાસનાઓના કારણે, એવી વાસનાઓને લીધે. (
10) અનુવાદ – આની (આ લિંગશરીરની) સ્વકીય-આગવી અવસ્થા “સ્વપ્ન (સ્વપ્નાવસ્થા) છે, જેમાં (જ્યાં) આ સ્વયંપ્રકાશ પરમાત્મા જ શુદ્ધ ચૈતન્ય-સ્વરૂપે પ્રકાશે છે, જેમાં (એટલે કે, સ્વપ્નાવસ્થામાં) બુદ્ધિ પોતે જ, જાગ્રતુ' - અવસ્થામાંની અનેકવિધ, અવસ્થાઓનાં કારણે, કર્તા-વગેરે ભાવોને પ્રાપ્ત થઈને (એટલે કે એવા વિવિધ આકારે) પ્રતીત થાય છે. (૧૦૦)
ટિપ્પણ - જેમના દાર્શનિક મતને, એટલે કે અદ્વૈત-દાન્ત-વિષયક મતને, આદ્ય શંકરાચાર્યે પુરસ્કાર્યો, તે, તેમના પરમગુરુ ગૌડપાદાચાર્યે, (સમય : ઈ.સ. આશરે પાંચમું-છઠું શતક), “માંડૂક્ય-ઉપનિષદ”પરની પોતાની “કારિકામાં, આત્માની આ ત્રણ ચૈતસિક “અવસ્થાઓનું નિરૂપણ કર્યું છે : જાગ્રતું, સ્વપ્ન અને સુષુપ્તિ, જેમાં ચિત્ત સક્રિય રહીને, સૃષ્ટિને, નેત્ર વડે, સ્થૂલ-રૂપે જુએ છે, ઇન્દ્રિયોના અનુભવના સંસ્કારથી મુક્ત મન, સૃષ્ટિને સૂક્ષ્મરૂપે જુએ છે, અને જ્યાં સૃષ્ટિ જ નથી, દશ્ય વિષયો જ નથી, વિષયોનો સંપૂર્ણ અભાવ છે. બીજી રીતે આ જ વાતને મૂકએ તો, જાગ્રત-અવસ્થા એટલે ચિત્તની સક્રિયતા, સ્વપ્ન-અવસ્થા એટલે સંકુલતા અને સુષુપ્રિ-અવસ્થા એટલે સંપૂર્ણ નિષ્ક્રિયતા.
અહીં, આ શ્લોકમાં, શ્રીશંકરાચાર્યે, આ ત્રણમાંથી જાગ્રતુ અને સ્વપ્ર એ પ્રથમ બે અવસ્થાનો, સૂક્ષ્મ-શરીરના અનુસંધાનમાં, અછડતો નિર્દેશ કર્યો છે : પૂલ-શરીરની અવસ્થા તો, સ્વાભાવિક રીતે, “જાગ્રત” છે; લિંગશરીરની વિશિષ્ટ (પોતીકી, સ્વકીય એવી) અવસ્થા “સ્વપ્ર” છે, જેમાંની સૂક્ષ્મશરીરની, એવી જ વિશિષ્ટ, અનુભૂતિઓ, અહીં નિરૂપિત થઈ છે. અહી પણ, છ ચરણોવાળો ઉપજાતિ-છંદ પ્રયોજાયો છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૦૦)
૧૦૧ धीमात्रकोपाधिरशेषसाक्षी
न लिप्यते तत्कृतकर्मलेशैः । यस्मादसंगस्तत एव कर्मभि
1 - નિતે વિવિલુપાધના : ૨૦૨ / શ્લોકનો ગુજરાતી પાઠ - ધીમાત્રકોપાધિરશેષ સાક્ષી
ન લિપ્યતે તત્કતકર્મલેશઃ | યસ્માદસંગસ્તત એવ કર્મભિ- લિપ્યતે કિંચિદુરાધિના કૃતૈિઃ |૧૦૧ /
૧૯૬ | વિવેકચૂડામણિ