________________
એકમાત્ર સાધ્ય મોક્ષ-પ્રાપ્તિ અને પરમતત્ત્વનો સાક્ષાત્કાર છે; એટલું જ નહીં પરંતુ આ સાધ્યને સંપન્ન કરવામાં, આ શરીરનાં ઉપયોગીપણાની અને એની સાધનરૂપતાની મર્યાદા જો યોગ્ય રીતે સમજવામાં ન આવે તો, એ જ એક મોટું વિઘ્ન બની રહે છે. છે અને એટલે જ, શરીરનાં સાધનત્વને ઓળંગીને આગળ વધનારાં સાધકોને, આચાર્યશ્રી, આદેશ આપે છે કે, - “Thus far, and no further !”
ભલા માણસ, જરા ઊઘાડી આંખે જો તો ખરો : સુંદર અને આકર્ષક દેખાતું આ શરીર શાનું બનેલું છે ? એમાં શું શું ભરેલું છે? જોતાં જ ચીતરી ચડે, આંખ અને નાક બંધ કરવાનું મન થાય એવી, કેટલી જુગુપ્સાજનક(Disgusting) વસ્તુઓનું એ માળખું છે ? લોહી-માંસ-મેદ-મજ્જા અને હાડકાં ! અને આટલું ઓછું હોય તેમ, જુગુપ્સાની પરાકાષ્ઠા જેવાં મળ અને મૂત્ર !
આ બધાંને લક્ષમાં લીધા વિના, તું તો, બસ, આ બધી ગંદી વસ્તુઓને ઢાંકતી, એક ચામડીને જ, જુએ છે !” આપણા પૌરમ્ય ચિંતકોનું સમર્થન કરતા હોય તેમ, પાશ્ચાત્ય ચિંતકોએ પણ મનુષ્ય-શરીરનાં બાહ્ય, કહેવાતાં(so-called) સૌન્દર્યની આમ કહીને, સ્પષ્ટ “નિદા” કરી જ છે :
“Beauty is skin-deep !”
શરીર-સૌન્દર્યનું ઊંડાણ કેટલું? બસ, ચામડી જેટલું જ ! એની નીચે ? એની અંદર? માત્ર કાદવ-કીચડ, અને મળ-મૂત્ર વગેરેની પારવાર ગંદકી !
અંદર ગંદકી અને બહાર સ્વચ્છતા ! અંદર કુરૂપતા અને બહાર સુંદરતા ! આવાં શરીરની તે પ્રશંસા કરવાની હોય કે નિન્દા ?
ઈશ્વર સાક્ષાત્કારરૂપી શાશ્વત સત્યને પામવામાં જે “મોહ”ને “મહામૃત્યુ કહેવામાં આવ્યો હતો, તે “મોહ'નાં મૂળમાં આવાં સ્કૂલ શરીર પ્રત્યેની આસક્તિ છે.
અને એટલે, આવાં શરીરની નિન્ધતા પ્રસ્થાપિત કર્યા સિવાય, અધ્યાત્મમાર્ગી અને મોક્ષસાધનાપંથી માટે, અન્ય કશો વિકલ્પ નથી.
- શ્લોકનો છંદ : અનુષુપ (૮૯)
पंचीकृतेभ्यो भूतेभ्य: स्थूलेभ्यः पूर्वकर्मणा । समुत्पन्नमिदं स्थूलं भोगायतनमात्मनः ।
अवस्था जागरस्तस्य स्थूलार्थानुभवो यतः ॥ ९० ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
પંચીકતેભ્યો ભૂતેભ્યઃ સ્કૂલેભ્યઃ સ્વકર્મણા. સમુત્પન્નમિદં સ્થૂલ ભોગાયતનમાત્મનઃ. અવસ્થા જાગરસ્તસ્ય પૂલાર્વાનુભવો યતઃ / ૯૦IL
૧૭૮ ! વિવેકચૂડામણિ