________________
ટિપ્પણ - આ શ્લોકમાં પણ, શરીરનાં લાલન-પાલનમાં જ સતત લાગ્યા રહેતા માણસની ગતિની નિંદા કરવામાં આવી છે.
આત્મ-સાક્ષાત્કારની ઇચ્છા, ખરેખર, સ્તુત્ય અને આવકાર્ય છે, પરંતુ પોતાનાં આવાં ઉચ્ચ-ઉદાત્ત ધ્યેયને સંપન્ન કરવા માટે, સદ્ગુરુએ સૂચવેલાં, એ માટેનાં, શાસ્ત્રોમાંનાં, આવશ્યક સાધનોને તેણે અપનાવવા જોઈએ. તેને બદલે આ ભાઈસાહેબ તો પંચમહાભૂતનાં આ અનિત્ય અને વિનશ્વર ખોળિયાંને નિશદિન લાડ લડાવવામાંથી જ પરવારતા નથી ! પછી શું થાય? આત્મ-સાક્ષાત્કાર તો દૂર રહ્યો, આત્મવિનાશ જ આવી પડે !
તરતાં આવડતું નથી, અને નદીની પેલી પાર પહોંચવું છે : આ માટે હોડીનાવડી ન મળે તો વાંધો નહીં, એકાદ મજબૂત લાકડું પકડી લે, તો પણ એનો બેડો પાર થઈ જાય, પણ આ બેવકૂફ માણસની મૂઢતા તો જુઓ : નદીમાં તરી રહેલા મગરમચ્છને તેણે જોયો, “હાશ, આ મોટું લાકડું મને મદદરૂપ થશે !” – એમ સમજીને ભાઈસાહેબ તો એના પર સવાર થઈ ગયા ! સામે પાર જવાની તો વાત જ ક્યાં રહી ! પેલા મગરે તો, તેનો, ત્યાં ને ત્યાં જ, કોળિયો ફરી નાખ્યો !
સ્થળ-ભૌતિક દેહનાં પોષણમાં જ પ્રતિક્ષણ રાચતા અને છતાં આત્મસાક્ષાત્કારનાં દિવા-સ્વમો સેવતા મનુષ્ય માટે સંપૂર્ણરીતે સમુચિત એવી સરખામણી(Apt comparion) પ્રયોજીને, આચાર્યશ્રીએ, અહીં, આ શ્લોકમાં, એની બરાબર ઠેકડી ઉડાડી છે !
મનોરથ-સિદ્ધિની પાત્રતા, પહેલાં, કેળવો અને પછી જ એવા મનોરથનું સેવન(Deserve and then desire !) કરો ! – એવી સલાહ, અનુભવી ડાહ્યા માણસોએ, આવા કિસ્સા જોયા પછી જ, આપી હશે !
આવી સલાહ અમલમાં મૂક્યા વિના, હવામાં અદ્ધરો-અદ્ધર કિલ્લા બાંધવાનું (Building castles in air !) પરિણામ તો હાસ્યાસ્પદ (Ridiculous) જ આવે ને!
શ્લોકનો છંદ : અનુક્રુપ (૮૬)
૮૭. मोह एव महामृत्युर्मुमुक्षोर्वपुरादिषु ।
मोहो विनिर्जितो येन स मुक्तिपदमर्हति ॥ ८७ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
મોહ એવ મહામૃત્યુમ્મુક્ષોર્વપુરાદિષા.
મોહો વિનિર્જિતો યેન સ મુક્તિપદમહતિ / ૮૭ || શ્લોકનો ગદ્ય અન્વય – વપુરારિપુ મોહક વ મુમુક્ષો. મહામૃત્યુ: (અસ્તિ) | येन मोहः विनिर्जितः, सः मुक्तिपदं अर्हति ॥ ८७ ॥
વિવેકચૂડામણિ | ૧૭૩