________________
આવા સાધકને આવું સદ્ભાગ્ય કેમ સાંપડે છે? આ સાધક માટે પણ, આ પ્રમાણે, બે વિશેષણો છે : હિત-સુઝન-વત્યા છતઃ અને સ્વસ્થ યુવત્યા (છત:). એક તો એ કે આ સાધક હિતેચ્છ, સજ્જન અને સદ્ગુરુના સદુપદેશ પ્રમાણે જીવનમાર્ગમાં પ્રયાણ કરતો હોય છે, અને સાથે સાથે પોતાની સ્વયંભૂ, અંતઃકરણ-પ્રેરિત, સુસંગત યોજનાને પણ સાંકળી લેતો હોય છે. પોતાના હિતેચ્છુ, સજ્જન અને પરમગુરુનો આદેશ તો ખરો જ; પણ વધારામાં, તે પોતાના અંતરાત્માના અવાજ(Inner Voice)ને પણ અનુસરતો હોય છે. અને પછી તો, પેલા અંગ્રેજ કવિએ કહ્યું છે તેમ, can success be far behind ? પછી તો, ફલસિદ્ધિ હાથ-વૈતમાં નહીં, પોતાના હાથમાં જ ! (૮૩)
અનુવાદ – વિષયોરૂપી વિકટ માર્ગો પરથી જતા, મલિનબુદ્ધિવાળા(સાધકોને ડગલે ને પગલે ઠોકરો વાગે છે, (પરિણામે), એનું (વિનાશ, અધઃપતનરૂપી) મૃત્યુ પણ નક્કી જ હોય છે; (એથી ઊલટુ), (કોઈ) હિતેચ્છુ, સાધુપુરુષ કે સદ્ગુરુના ઉપદેશ પ્રમાણે અને પોતાનાં અંતઃકરણની પ્રેરણા અનુસાર (સન્મા) જનાર સાધકોને સાચે જ સફળતા સાંપડે છે, એમ તું ચોક્કસ સમજી લે. (૮૩)
ટિપ્પણ – શ્લોકના તાત્પર્યાર્થની સમજૂતી માટે, આમ તો, શબ્દાર્થ-વિભાગમાં, સવિસ્તર સ્પષ્ટતા કરવામાં આવી છે. હવે માત્ર એક જ બાબત પર, સહૃદય સ્વાધ્યાયીનું ધ્યાન ખેંચવાનું રહે છે : આ પહેલાંના શ્લોકમાં જેમ, નકારાત્મક અને હકારાત્મક એવાં, બે પરસ્પરવિરોધી “રૂપકો પ્રયોજ્યાં હતાં તેમ, અહીં, આ શ્લોકમાં, મોક્ષપ્રાપ્તિ માટેના, પ્રતિકૂળ અને અનુકૂળ એવા પરસ્પર-વિરુદ્ધ જીવનમાર્ગ પ્રયાણ કરતા બે સાધકોનાં બૂરાં-સારાં, પરિણામોનું તુલનાત્મક ચિત્ર નિરૂપવામાં આવ્યું છે. પરંતુ આ ચિત્રનાં હાર્દમાં પણ વાત તો વિષયવાસનાથી દૂર, અળગા રહેવાની જ છે, વિષયાસક્તિના અવયંભાવિ દુષ્પરિણામની જ છે !
આ ગ્રંથનો વિષય ભલે હોય તત્ત્વજ્ઞાન, પરંતુ એના લેખક આદ્ય શ્રીશંકરાચાર્ય કાંઈ કવિ થોડા મટી જાય છે ? સુંદર, કવિત્વપૂર્ણ સ્તોત્રોના રચયિતા એવા આચાર્યશ્રીમાં રહેલા “કવિ” – “The Poet in Shri Shankaracharya !” - તત્ત્વજ્ઞાનનાં નિરૂપણમાં પણ અહીં, આ શ્લોકમાં, અનાયાસ, “With effortless ease', પ્રગટી રહે છે !
શ્લોકની ચારે-ચાર પંક્તિઓમાંનો “પ્રાસાનુપ્રાસ” - શબ્દાલંકાર, કોઈ પણ સાહિત્યરસિક વાચકનું ધ્યાન અવશ્ય ખેચે એવો સહજ છે :
પંક્તિ-૧ : Iછે. છે પંક્તિ-૨ : મૃત્યુ... મધ્યેષ: પંક્તિ-૩ : જ્યા.. યુજીયા પંક્તિ-૪ : સિદ્ધિ...વિદ્ધિ
શ્લોકનો છંદ : માલિની (૮૩)
૧૬૮ | વિવેકચૂડામણિ