________________
શ્લોકનો ગુજરાતી પાઠ :
આપાતવૈરાગ્યવતો મુમુક્ષુનું
ભવાબ્ધિપાર પ્રતિયાતુમુદ્યતાનું ! આશાગ્રહો મજ્જયતેડત્તરાલે
વિગૃહ્ય કંઠે વિનિવર્ય વેગાતું ૮૧ | શ્લોકનો ગદ્ય અન્વય :- વાવ્યા પ્રતિયાનું ડાતાનું નાપાતવૈરાગ્યવત: मुमुक्षून, आशाग्रहः कण्ठे विगृह्य, वेगात् विनिवर्त्य, अन्तराले मज्जयते ॥ ८१ ॥
શબ્દાર્થ :- મુખ્ય વાક્ય આ પ્રમાણે છે : કાશપ્રહ મુમુક્ષુ માયતે | નાશાહ: – એટલે આશારૂપી મગર. એ શું કરે છે? મMયો, - ડૂબાડી દે છે. કોને ડૂબાડી દે છે ? મુમુકૂન - મુમુક્ષુઓને, મોક્ષાર્થીઓને, મોક્ષ મેળવવા ઇચ્છનારાઓને.
શા માટે ડૂબાડી છે? કેવા છે આ મોક્ષાર્થીઓ? મુમુક્ષુન – શબ્દના, આ માટે, બે વિશેષણો, આ પ્રમાણે, આપવામાં આવ્યાં છે : આપતિ-વૈરાવતઃ અને भवाब्धिपारं प्रतियातुं उद्यतान्..
એક તો એ કે આ મુમુક્ષુઓનો વૈરાગ્ય આપાત છે, અસ્થિર, કાચો છે, અપૂર્ણ છે; સંનિષ્ઠ નથી, હૃદયસ્પર્શી નથી, સંપૂર્ણ નથી; બીજું એ કે આવા અસ્થિર વૈરાગ્યવાળા મુમુક્ષુઓ ભવાબ્દિપરં પ્રતિયાનું ૩દ્યતન છે; ભવસાગરને (વાબ્ધિ) પાર કરવા માટે (તિયાતું) તૈયાર થયા છે (ડતા).
આનું પરિણામ શું આવે છે?
પેલો આશારૂપી મગર(ઝાહિદ) તો, મોં ફાડીને, સંસારસમુદ્રમાં, આવા કાચા વૈરાગ્યવાળા મોક્ષાર્થીઓની રાહ જોઈને બેઠો જ હોય છે !
આ “મગર' શું કરે છે? એ બે કામ કરે છે ? સૌ પહેલાં તો, તે પેલા મોક્ષાર્થીઓને ગળેથી. ગરદનથી પકડે છે ( વિગૃહ), અને ત્યારપછી તેમને વેગપૂર્વક પાછા વાળે છે(ત વિનિવર્ચ).
અને છેવટે તેમને ડૂબાડી દે છે(માયત). ક્યાં ડૂબાડી દે છે ? વચ્ચે જ, વચમાં જ, અધવચે જ(અન્નીને). (૮૧)
અનુવાદ - અસ્થિર વૈરાગ્યવાળા (અને છતાં પણ)ભવસાગરને પાર કરવાને તૈયાર થયેલા મુમુક્ષુઓને, આશારૂપી મગર, ગળેથી પકડીને, વેગપૂર્વક તેમને પાછા વાળીને, અધવચે જ, ડૂબાડી દે છે. (૮૧) - ટિપ્પણ – આ સંસાર તો એક અગાધ સાગર છે, અને મોક્ષ તો તેની પેલી પાર છે; એટલે મોક્ષાર્થીએ આ સાગરને ઓળંગીને પેલી પાર પહોંચવું જ રહ્યું.
પરંતુ, સાગરને પાર કરવા માટે માત્ર કટિબદ્ધ થવું, એટલું જ પૂરતું નથી. આ માટે, એ પહેલાંની એક ફરજિયાત પૂર્વશરત છે. અને એ પૂર્વશરત એટલે “વૈરાગ્ય”.
૧૬૪ | વિવેચૂડામણિ