SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ અને શરત પ્રમાણે મંડન મિશ્રે સંન્યાસ અને શંકરાચાર્યનું શિષ્યત્વ સ્વીકાર્યું. પરંતુ ઉભયભારતીએ જણાવ્યું કે “પતિવ્રતા પત્ની, પતિની “અર્ધાગના” હોય છે, તમે મંડનમિશ્રને હરાવીને અર્ધો વિજય મેળવ્યો છે. મને પરાજિત કરો ત્યારે જ, તમારો વિજય સંપૂર્ણ ગણાય !” શંકરાચાર્ય સંમત થયા. ઉભયભારતીએ સ્પર્ધામાં જે સવાલો પૂછ્યા, તે કામકલા વિશેના હતા, પણ શંકરાચાર્ય તો બ્રહ્મચારી હતા ! આવા સવાલોના જવાબો કેવી રીતે આપી શકે ? તેમણે એક મહિનાની મુદત માગી. તેઓશ્રીએ પોતાની યોગવિઘાથી, મૃત રાજા અમરકના દેહમાં પ્રવેશ કર્યો અને રાજમહેલમાં રાજાની રાણીઓ સાથે આનંદ-ઉપભોગ કરીને, કામલામાં પારંગત બનીને પાછા ફર્યા અને ઉભયભારતીનો પણ પરાજય કર્યો; અને તેણે પણ શંકરાચાર્યની સર્વોપરિતાનો સ્વીકાર કર્યો. ઉત્તમ પ્રકારનું “મનોરંજન' આપતા આ પ્રસંગમાંથી આટલા પ્રશ્નો આપોઆપ ઉપસી આવે છે : (અ) આરંભમાં જે શરતો થઈ હતી, તેમાં ઉભયભારતીની ઉપર્યુક્ત શરત હોતી; (આ) એની સાથેના શાસ્ત્રાર્થમાં નિર્ણાયકનો ઉલ્લેખ જ નથી ! (ઈ) શંકરાચાર્યે પોતે પરકાયાપ્રવેશ કર્યો, તેને બદલે તેમનો કોઈ શિષ્ય આ કાર્ય ન કરી શક્યો હોત ? તેમણે પોતે આમ શા માટે કર્યું ? (ઈ) શંકરાચાર્યે પુરુષકાયામાં જ પ્રવેશ શામાટે કર્યો ? સ્ત્રી-કાયામાં કેમ નહીં ? (ઉ) એમના જેવા પ્રખર બુદ્ધિશાળીને એક મહિના જેટલી મુદતની શી જરૂર ? (ઉ) અને આ મુદત પછી પણ તેઓશ્રી પાછા ન આવ્યા, એટલે શિષ્યોએ તેમની શોધ કરીને કામોપભોગમાં ગળાડૂબ પોતાના ગુરુને જગાડવા પડે, એ કેવું ? આખા પ્રસંગમાં, “મનોરંજન'નું તત્ત્વ ભરપૂર, પરંતુ સત્ય ? NIL ! મૂળ વાત તો એ છે કે શંકરાચાર્યનો જીવન-સમય જ જયાં અનિશ્ચિત છે ત્યાં, કુમારિલભટ્ટ સાથેની એમની સમકાલીનતા માત્ર કાલ્પનિક જ ને ! ટી.એમ.પી. મહાદેવનું જેવા વિદ્વાને આ પ્રસંગને અસંબદ્ધ અને અસંભવિત ઘટના ગણીને, શંકરાચાર્યનાં ચરિત્રમાંથી રદ કરી છે, એ જ યોગ્ય છે. (૧૨) કાશીમાં ભિક્ષાટન દરમિયાન, આચાર્યશ્રીએ એક વૃદ્ધને - ડુ રળે, હુ શરણે ! – એ વ્યાકરણસૂત્રને ગોખતો જોયો : શંકરાચાર્યને એની દયા આવી અને તેને ઉદ્ધોધન કર્યું કે “હે મૂઢ બુદ્ધિવાળા માણસ, ગોવિંદનું ભજન કર, મરણ નજીક આવશે ત્યારે, આ “ડુડુ રો” - સૂત્ર તને નહીં બચાવે !” – भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते । प्राप्ते संनिहिते मरणे न हि न हि रक्षति डुकृङ् करणे ॥ વિવેકચૂડામણિ | ૧૫
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy