________________
એ જ રીતે, અહીં, રાજા બનવાની મહત્ત્વાકાંક્ષા સેવનાર વ્યક્તિએ, સૌપ્રથમ તો, સઘળા શત્રુઓને પડકારીને, સમરાંગણમાં, એ સહુનો સંહાર કરવો પડે, અને સમસ્ત પૃથ્વીની ધન-સંપત્તિને લૂંટીને ઘર-ભેગી કરવી પડે; અને આ રીતે, સમગ્ર વિશ્વમાં બિન-હરીફ બન્યા પછી જ, પોતાની જાતને “હું હવે ચક્રવર્તી રાજા છું,” - એમ જાહેર કરવાની યોગ્યતા તે મેળવી શકે.
મોક્ષપ્રાપ્તિની પાત્રતા સિદ્ધ કરવાની, આવી જ હકીકત, આચાર્યશ્રીએ, પેલા મુમુક્ષુ સાધકની મનોભૂમિ પર જડબેસલાક પ્રસ્થાપિત કરી દીધી !
મહત્ત્વના કોઈક મુદ્દાનાં દઢીકરણ (confirmation, Emphasis) માટે, સંસ્કૃત સાહિત્યમાં એક શૂનિયન-ન્યાય (Maxim) આ પ્રમાણે છે : ભૂખા એટલે થાંભલો અને નિખનન એટલે ખોદવું, ખોદ્યા કરવું. મકાન બાંધતી વખતે, જમીનમાં થાંભલો મજબૂત રીતે ખોદવો હોય તો, ખાડો ખોદ્યા પછી, ખાડામાં થાંભલો મૂક્યા પછી, થાંભલો ખૂબ ઊંડે સુધી પહોંચે એ રીતે ખાડામાં પથરા, માટી કે રેતી પૂરતાં રહીને, વારંવાર થાંભલાને હલાવતાં રહીને, એને દઢ, સ્થિર અને મજબૂત કરવો પડે.
શ્રીશંકરાચાર્યે, પૂર્વપક્ષનું ખંડન કરવા માટે, બ્રહ્મસૂત્રનાં પોતાનાં ભાષ્ય-શાંકરભાષ્યમાં, આ “પૂણાનિખનન”ને ટાંક્યો છે.
શ્લોકનો છંદ : “અનુષુપ (૬૬)
૬૭ आप्ोक्ति खननं तथोपरिशिलाद्युत्कर्षणं स्वीकृति
निक्षेपः समपेक्षते न हि बहिः शब्दैस्तु निर्गच्छति । तद्वद् ब्रह्मविदोपदेशमननध्यानादिभिर्लभ्यते
मायाकार्यतिरोहितं स्वममलं तत्त्वं न दुर्युक्तिभिः ॥ ६७ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ – આયોક્તિ ખનન તથોપરિશિલાધુત્કર્ષણ સ્વીકૃતિ
નિપઃ સમપેક્ષતે ન હિ બહિઃ શબ્દસ્તુ નિર્ગચ્છતિ તદ્ બ્રહ્મવિદોપદેશમનનધ્યાનાદિભિલભ્યતે | માયાકાર્યતિરોહિત સ્વમમલ તત્ત્વ ન દુર્યક્તિભિઃ || ૬૭ ||
શ્લોકનો ગદ્ય અન્વય – (યદત) નિક્ષેપઃ મારોf$ qનને તથા उपरिशिलाद्युत्कर्षणं: च स्वीकृति (च) समपेक्षते, न हि बहिः शब्दैः तु निर्गच्छति; तद्वत् ब्रह्मविदा-उपदेश-मनन-ध्यानादिभि: मायाकार्यतिरोहितं स्वं अमलं तत्त्वं लभ्यते, તુવૃમિ : (તગતે) II ૬૭ || - શબ્દાર્થ – નિક્ષેપ - જમીનમાં દાટેલું ધન, ધરતીમાં ગાડેલી દોલત; સમક્ષો
'વિવેકચૂડામણિ | ૧૩૯