________________
ટિપ્પણ :
દોરડું તો નિષ્ક્રિય છે, એ તો એક અધિષ્ઠાન-માત્ર છે, એ પોતે તો કશું જ કરતું નથી. એનામાં સાપનો આભાસ થાય છે, દોરડું એ દોરડું નહીં પણ સાપ છે, એવી પ્રતીતિ તો માત્ર અંધકારને કારણે જ ઊભી થઈ હતી, ખોટી હતી, માત્ર એક ભ્રાંતિ જ હતી. અજવાળું આવ્યું કે તરત જ, એ ભ્રાંતિ ચાલી ગઈ. આમ, સાપના આભાસનું સર્જન અને એ જ આભાસનું દૂર થઈ જવું, - એ બંને, ખરેખર, હતાં જ નહીં; (સમાવિનિમી) અને દોરડાંએ તો, સાપનાં આભાસનાં આવવાજવામાં કશો ભાગ ભજવ્યો જ નહોતો (નિયિાયાં રબ્બી) ! '
એ જ પ્રમાણે, આત્મા માટેનાં બંધન અને મોક્ષ પણ, હકીકતમાં, હોતાં જ નથી ( સ્ત: ), એ તો માત્ર માયાની જ કલ્પના છે. અને માયા એટલે જ માયા ! એનું તો નામ જ સૂચક છે ! માયા એટલે તો એવું એક તત્ત્વ, કે જે પોતે જ ક્યાંય અસ્તિત્વ ધરાવતું નથી, ક્યાંય છે જ નહીં : આમ, જે પોતે જ એક કલ્પના છે, તેણે કહ્યુંલાં બંધન અને મોક્ષ કેટલાં સાચાં હોય !
| દોરડું જેમ એક અધિષ્ઠાન (Substratum) છે, તેમ જ આત્મા પણ અધિષ્ઠાન જ છે. સાપનાં આવાગમન હતાં જ નહીં, તે જ રીતે, અહીં, આત્માની બાબતમાં, બંધન અને મોક્ષનાં આવાગમન પણ છે જ નહીં, - એ તો હતી માત્ર માયાની કલ્પના જ (માયોસ્કૃતી) !
મૂળ, ચર્ચાનો મુદ્દો છે, બ્રહ્મભાવ અને વિદેહકૈવલ્ય પામેલા આત્માના પુનર્જન્મની ! એનો પુનર્જન્મ હોઈ શકે જ નહીં (: યતિઃ પુનઃ ને માવર્તિત | - શ્લોક-પ૬૮ અને વૃક્ષ: ૩દ્ધવ: 9તઃ | શ્લોક-પ૬૯). આવી અસંભવિત વાતને પ્રતીતિજનક બનાવવા માટે આચાર્યશ્રીએ અહીં બે સિદ્ધ હકીકતોને, આધાર તરીકે ટાંકી છે : દોરડાંની નિષ્ક્રિયતા અને માયાની કલ્પના.
ટૂંકમાં, જેનો બ્રહ્મભાવ થઈ ગયો છે, તેનો પુનર્જન્મ હોય જ નહીં ! એ તો “વદતો વ્યાઘાત” (Contradiction in terms) જેવી જ એક વાત છે.
શ્લોકનો છંદ : અનુષુપ (૫૭૭)
પ૦૧ आवृतेः सदसत्त्वाभ्यां वक्तव्ये बन्धमोक्षणे । नावृतिः ब्रह्मणः काचिदन्याभावादनावृतम् । यद्यस्त्यद्वैतहानिः द्वैतं नो सहते श्रुतिः ॥५७१॥
૧૧૪૬ | વિવેકચૂડામણિ