________________
ઉપનિષદ ૪, ૫, ૧૩)
પોતાની બ્રહ્મવાદિની ધર્મપત્ની મૈત્રેયીને આત્માનું સ્વરૂપ સમજાવતાં, મહામનીષી યાજ્ઞવલ્કય કહે છે કે “જેમ “સૈધવઘન', સિંધાલુણ એટલે કે મીઠાનો ગાંગડો અંતર-રહિત, બાહ્યરહિત, સંપૂર્ણ રસ-ઘન જ છે, તેમ જ (અરે, મૈત્રેયી !) આ આત્મા (પણ) અંતરરહિત, બાહ્યરહિત સંપૂર્ણ પ્રજ્ઞાનઘન” જ છે.”
અને પછી, એ જ અનુસંધાનમાં, તેઓશ્રી ઉમેરે છે કે આ સિવાય બાકીનું બધું જ જીવભાવ પામેલું “ઔપાલિક' જ હોવાથી વિનાશ પામે છે (અનુવિનશ્યત્તિ).
(ર) અને આદ્ય શ્રી શંકરાચાર્યના પરમગુરુ ગૌડપાદાચાર્ય “માંડૂક્ય'-ઉપનિષદ પરની પોતાની કારિકાઓમાં પણ, ઠં–કારની ચર્ચામાં, આત્માના પ્રાજ્ઞ-રૂપ એવા ત્રીજાં પાદને પ્રજ્ઞાનઘન' તરીકે જ નિરૂપે છે :
सुषुप्तस्थानः एकीभूतः प्रज्ञानघनः एव अयं... प्राज्ञः तृतीयः पादः । ।
(“સુષુપ્તસ્થાનવાળો, એકીભૂત “પ્રજ્ઞાનઘન' જ એવો... પ્રાજ્ઞ એ તૃતીય પાદ છે.”),
આમ તો, આત્માનું સ્વરૂપ વાણીથી અતીત એટલે “શબ્દાતીત છે, અવ્યાખ્યય છે, તેના કોઈ લક્ષણ, વ્યાખ્યા, લિંગ, ચિલ્ડ્રન આપી શકાય એમ નથી, તેથી જો તેને ભાષાનાં માધ્યમથી અભિવ્યક્ત કરવું જ હોય તો, આ પ્રજ્ઞાનઘન” એ એક જ શબ્દ પર્યાપ્ત છે.
ટૂંકમાં, સર્વ-ઉપાધિ-શૂન્ય આત્મા એ જ “પ્રજ્ઞાનઘન'. અને ઉપાધિના સંસર્ગથી, બહારથી, બાહ્ય રીતે, આવ્યો હોવાથી, ઔપાષિક એવો જીવભાવ વિનશ્વર છે, જ્યારે “પ્રજ્ઞાનઘન' (જ્ઞાનસ્વરૂપ) આત્મા સદા-સર્વદા એકરૂપ હોવાથી અવિનાશી છે, શાશ્વત છે. જીવનું મૂળભૂત સ્વરૂપ પણ આ જ છે અને આવાં સ્વરૂપે જ જીવાત્મા અને બ્રહ્મ વચ્ચે અભેદ છે.
“મોક્ષના અનુસંધાનમાં, આચાર્યશ્રી, જે પ્રતિપાદિત કરવા માગે છે તે એ જ કે જીવાત્માનું આવું, બ્રહ્મથી અભિન, અનૌપાધિક બ્રહ્મસ્વરૂપ એ જ મોક્ષ !
સંક્ષેપમાં, પ્રજ્ઞાનઘન” એટલે એવો આત્મા, જ્યાં, તેના પોતાના સિવાય બીજું કશું જ નથી. સઘળું નાશ પામ્યા પછી પણ જે અસ્તિત્વ ધરાવે છે (Survives), તેવાં તેનાં સસ્વરૂપનો અહીં નિર્દેશ છે. ભૂતકાળમાં જે હતું, વર્તમાનકાળમાં જે છે, અને ભવિષ્યકાળમાં પણ જે હશે, તે જ શાશ્વત-સત્યસ્વરૂપ, “પ્રજ્ઞાનઘન આત્મા.
શ્લોકનો છંદઃ અનુરુપ (૫૬૨) ૧૧૩૦ | વિવેકચૂડામણિ