SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1106
Loading...
Download File
Download File
Page Text
________________ આવ્યું છે. આ પહેલાં પણ આપણે જોયું છે કે જીવન્મુક્ત' થયા પછી પણ, સામાન્ય માણસની જેમ, તે પણ શરીર ધારણ કરીને, પોતાનું શેષ આયુષ્ય વ્યતીત કરતો હોય છે. તે ‘શરીરી’ હોવા છતાં પણ, હકીકતમાં તો, તે, ‘અશરીરી’ જ હોય છે, પરંતુ આવી સૂક્ષ્મ વાત ન સમજનારા અને મૂર્ખ માણસો (મૂઢા:) તો, આવા નિત્યમુક્ત અને શરીર-વગેરેનાં બંધનોમાંથી છૂટી ગયેલા (વેહાવિશ્વેષ્યઃ વિમુત્તમ્), આવા આદર્શ અને શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાનીને પણ, પોતાના જેવો એક સામાન્ય દેહધારી (વેદિવત્) જ સમજે છે (પત્તિ) ! આવા મૂઢમતિ લોકો પોતાને ‘શરીરધારી’ જ નહીં પરંતુ ‘સાક્ષાત્-શરીર’ જ સમજે છે, અને એ જ રીતે, આ બ્રહ્મવિત્તમનાં આભાસરૂપ શરીરને જોઈને (શરીર-આભાસ-વર્ણનાત્, તેને પણ તેઓ પોતાના જેવો જ ‘સાક્ષાત્શરીર' માની બેસે છે ! પોતાનું ‘શરીર તો શરીર જ છે', પરંતુ આ સંનિષ્ઠ બ્રહ્મજ્ઞાની તો ‘શરીરી’ હોવા છતાં, ખરેખર, ‘અશરીરી’ જ છે, - એવું સૂક્ષ્મ-દર્શન કરવાની સૂઝ-સમજ-શક્તિ તેમનાંમાં ન હોવાથી, તેઓ તો, બ્રહ્મવિત્તમ’ માટે આવું પ્રમાણપત્ર' (Certificate) આપી જ દે કે “આ માણસ પણ આપણાં જેવો, એક સામાન્ય દેહધારી' જ (વૈવિદ્) છે ! આવી ઘટના (Phenomenon) કોના જેવી છે ?' - એની પ્રતીતિ કરાવવા માટે, આચાર્યશ્રી, એમની હંમેશની પદ્ધતિ પ્રમાણે, ભૌતિક-વિજ્ઞાનનાં ક્ષેત્રમાંથી, એક સુંદર અને સમુચિત ઉદાહરણ આપે છે ઃ સૂર્યગ્રહણ (Solar eclipse) થાય છે ત્યારે, રાહુ વડે સૂર્યનો ગ્રાસ’ થાય છે, એવી એક અજ્ઞાનમૂલક (વસ્તુલક્ષળ હિ અશાત્મા) અને સમાજ-પ્રચલિત લોકમાન્યતા છે. હકીકતમાં, આવું કશું બનતું જ નથી (રવિઃ અપ્રસ્ત: અ)િ. માત્ર, અંધારાંને લીધે સૂર્ય ‘ગ્રસ્ત' થયો છે, એવા ખોટા દેખાવને કારણે (તમસા પ્રસ્તવત્ માનાત્, લોકો ભ્રાંતિથી એમ કહે છે કે ‘સૂર્ય ગ્રસ્ત થયો છે' (નનૈ: પ્રાન્ત્યા સૂર્ય: પ્રસ્ત: કૃતિ અત્યંતે ।). સર્વ-પ્રકાશનાં ગંગોત્રી અને મૂળ-ભંડાર સમો સૂર્ય, અંધકાર વડે ઢંકાઈ જાય છે' એમ કહેવું અથવા માનવું, એ તો, ‘વદતો વ્યાઘાત' (Contradiction in terms) જેવું હાસ્યાસ્પદ છે ! અને છતાં સામાન્ય-જનસમાજમાં આવી માન્યતા પ્રવર્તે છે, એ પણ એક, ભલે, ‘ખોટી’, પણ હકીકત તો છે જ ! આ ઉદાહરણનાં માધ્યમથી, આચાર્યશ્રી, સંભવતઃ એવો ધ્વન્યર્થ પાઠવવા માગતા હોય કે પોતાનાં વિશેનાં આવાં પ્રમાણપત્રોની સૂર્યને અને બ્રહ્મવિત્તમને શી પડી છે ? (What do they care ! In fact, 'they care a hoot !') શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૫૪૮-૫૪૯) વિવેકચૂડામણિ / ૧૧૦૧ -
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy