SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1086
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ શરીરં વિમાન ! વિ-માનમ્ એટલે અભિમાન-રહિત થઈને (વિત: માન: મિન્ +f યથા થાત્ તથા | અવ્યવીભાવ સમાસ) માને એટલે અભિમાન, તેને સંપૂર્ણરીતે છોડી દઈને; માતબ્ધ આવું શરીર ધારણ કરીને; “માન'રહિત થયેલું આ શરીર હવે વિમાન છે, એનું અવલંબન કરીને. આવું બધું કરતો હોવા છતાં, આ આત્મજ્ઞાની વ્યરુતિ અને મનનુષજીવહિંદ છે : એટલે ચિહન, નિશાની; તેના સંન્યાસનાં કોઈ જ ચિહ્નો વ્યક્ત હોતાં નથી અને બીજાઓ તરફથી આવી મળેલા અશેષ વિષયોને ભોગવતો હોવા છતાં, તે પોતે તો તે બધા વિષયો તથા સર્વ બહારની વસ્તુઓમાં આસક્ત થતો જ નથી (ક+અનુષp:). (૫૪૦) અનુવાદ : અજ્ઞાત-ચિહુન-વાળો જે આત્મજ્ઞાની આ શરીરને અભિમાન-રહિત થઈને ધારણ કરે છે અને બીજાંઓની ઈચ્છાથી લાવવામાં આવેલા સમસ્ત વિષયોને બાળકની જેમ ભોગવે છે, તે છતાં તે(પોતે) બહારની વસ્તુઓમાં જરા પણ આસક્ત થતો નથી. (૫૪૦) ટિપ્પણ:. આત્માનું, એટલે કે બ્રહ્મનું જ્ઞાન પામ્યા પછી પણ, આત્મવેત્તા, સંસારમાં રહીને, એ જ શરીરનું અવલંબન કરીને (તત્ શરીર અવત) પરમેશ્વરની આ સૃષ્ટિમાં, સર્વ પદાર્થોને ભોગવતો (મુફ્રિ) છતાં, એ સર્વથી કેવો અળગો રહે છે (નનુષpવાહ), એનું, એની આવી વિશિષ્ટ જીવનશૈલીનું, એક લાક્ષણિક શબ્દચિત્ર અહીં પણ આચાર્યશ્રી આપે છે. સંસાર શું સરસો રહે ને મને મારી પાસ!” - પોતાના કોઈક ભક્તને, ભગવાને આપેલી આ સૂચનાને, કાવ્યપંક્તિનાં રૂપમાં રજૂ કરતા આ વિચારને, આચાર્યશ્રીએ, અહીં, એમની પોતાની નિરાળી રીતે, અભિવ્યક્ત કર્યો છે. આ શ્લોકમાં પ્રયોજવામાં આવેલા લગભગ બધા જ શબ્દો એ અર્થમાં સૂચક (Significant) છે કે એની પાછળ આચાર્યશ્રીનું પોતીકું શબ્દકૌશલ છતું થાય છે. વાત તો બ્રહ્મવેત્તાની છે, તો પછી એને વળી, “ભોગવવાનું (મુ) શું? અને એને વળી ‘વિષયો' (ગશેષાન વિષય) કયા, કેવા ? આચાર્યશ્રી, આવા શબ્દો પ્રયોજીને પણ, જે વાત ભારપૂર્વક (Emphatically) કહેવા માગે છે તે એ કે આ “વિષયો તે પેલી “વિષયવાસનાઓ' (Sense-objects) નથી, અને ' વિવેકચૂડામણિ | ૧૦૮૧
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy