________________
શ્લોકનો ગુજરાતી પાઠ :
શાન્તા મહાન્નો નિવસન્તિ સન્તો વસન્તવલ્લોકહિતં ચરન્તઃ | તીર્ણા: સ્વયં ભીમભવાર્ણવ જનાનહેતુનાન્યાનપિ તારયન્તિ ॥ ૩૯ II
શ્લોકનો ગદ્ય અન્વય :- શાન્તા; મહાન્ત: સન્તઃ વસન્તવત્ લોહિત चरन्तः, निवसन्ति | भीमभवार्णवं स्वयं तीर्णाः (ते) अन्यान् जनान् अपि अहेतुना તાન્તિ || ૩૦ ||
શબ્દાર્થ :— સન્તઃ સંત પુરુષો, સજ્જનો. કેવા સજ્જનો ? બે વિશેષણો આ પ્રમાણે છે. - શાન્તા; અત્યંત શાંત, પેલાં ‘શમ’-ગુણને જેમણે સંપૂર્ણરીતે આત્મસાત્ કર્યો છે, તેવા. અને મહાન્ત:, મોટા, સૂક્ષ્મ અર્થમાં. આવા સંતોની જીવન-કારકિર્દીની વિશિષ્ટતા શી હોય છે ? લોહિતા પરન્ત: વન્ત । લોકોનાં કલ્યાણ માટે વિહાર કરતાં-કરતાં તેઓ આ સંસારમાં વસે છે. આવું જીવન તેઓ કોની જેમ જીવે છે ? એક સુંદર ઉપમા, આ માટે, અપાઈ છેઃ વસન્તવત્ - વસંત ઋતુની જેમ ! આવા સંતો બીજું શું કરે છે ? અન્યાન્ નનાન્ અપિ તારયન્તિ તેઓ બીજા લોકોને પણ તારે છે, બચાવી લે છે. પરંતુ તેઓ પોતે તરેલા હોય છે ? શામાંથી ? અને બીજા લોકોને તારવામાં એમનો હેતુ શો હોય છે ? આ ત્રણેય સવાલોના જવાબો આ પ્રમાણે છે : હા, સ્વયં તૌર્ગા: પોતે તો તરી ચૂકેલા જ હોય છે, પોતે તર્યા વગર બીજાને કેવી રીતે તારી શકાય ? અને તરવા-તારવાનું સ્થળ પણ કંઈ જેવું-તેવું નહીં, આ ભયંકર સંસાર-સાગરને (ભીમમવાળુંવ) તરવા ને તારવાની વાત અહીં છે. અને બીજા લોકોને તારવામાં એમને શો રસ હોય છે ? એમાં એમનો પોતાનો કશો સ્વાર્થ હોય છે ? અરે, ના, ના, એમને સ્વાર્થ કેવો ? એ તો સંતો હોય છે, એટલે અહેતુના, – તેઓ, આવું કામ, કશા જ હેતુ વિના, કારણ વિના, પૂરેપૂરા નિઃસ્વાર્થભાવે જ કરે છે ! (૩૯)
-
અનુવાદ :— અત્યંત શાંત અને મહાન એવા (આ) સજ્જનો, વસંતઋતુની જેમ, લોક-કલ્યાણ માટે (સમાજમાં) વિહાર કરતાં રહે છે, અને (આપણા આ) ભયંકર ભવસાગરને પોતે તરી ચૂકેલા (તેઓ) બીજા લોકોને પણ કોઈ પણ હેતુ વગર તારે છે. (૩૯)
ટિપ્પણ :– ભવસાગરમાંથી પોતાના ઉદ્ધાર અને મૃત્યુમાંથી રક્ષણ માટે, હાથ જોડીને ગુરુ સમક્ષ ઊભેલા શિષ્યના આ ઉદ્ગાર છે. ગુરુજી પાસેથી આવાં ઉદ્ધારરક્ષણ પોતે પામશે, એવી એને ખાતરી શી રીતે થઈ ? એને તરત જ પેલાં સુપ્રસિદ્ધ સુભાષિતની આ લીંટી યાદ આવી ગઈ,
स्वभाव एवैष परोकारिणाम् । વિવેકચૂડામણિ / ૧૦૧