________________
હોય છે, અને આજનો આનંદ, ગઈ કાલના અને આવતી કાલના બે શોકો વચ્ચેનું આકસ્મિક અનુસંધાન હોય છે; પરંતુ હવે તો શિષ્યની પ્રવર્તમાન બ્રહ્મસ્વરૂપાવસ્થામાં, વચ્ચે, કોઈ જ વિરામ નથી, - બસ, અખંડ-એકધારા આનંદની જ અનુભૂતિ છે ! અસ્તિત્વના ઉત્સવનો અસ્ખલિત આનંદ !
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૫૧૭)
૫૧૮
स्वाराज्यसाम्राज्यविभूतिरेषा भवत्कृपाश्रीमहिमप्रसादात् । प्राप्ता मया श्रीगुरवे महात्मने
नमो नमस्तेऽस्तु पुनर्नमोऽस्तु ॥ ५९८ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ : સ્વારાજ્યસામ્રાજ્યવિભૂતિરેષા ભવત્કૃપાશ્રીમહિમપ્રસાદાત્ પ્રાપ્તા મયા શ્રીગુરવે મહાત્મને
I
નમો નમસ્તેઽસ્તુ પુનર્નમોડસ્તુ II૫૧૮॥
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
भवत्कृपाश्रीमहिमप्रसादात् मया एषा स्वाराज्य - साम्राज्य - विभूतिः प्राप्ता; महात्मने श्रीगुरवे ते नमः नमः अस्तु, पुनः नमः अस्तु ॥५१८ ॥ શબ્દાર્થ :
શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) મયા ણા વિસ્મૃતિ: પ્રાપ્તા । વિભૂતિ એટલે સમૃદ્ધિ, સંપત્તિ, ઐશ્વર્ય, ભવ્યતા (Grandeur), ઉજ્જવળતા (Splendour); મેં આજે આવી વિભૂતિ પ્રાપ્ત કરી છે. કઈ-કેવી-શાની વિભૂતિ ? - સ્વારાજ્યની અને સામ્રાજ્યની. સ્વારાગ્ય એટલે
સ્વ નું, સ્વર્ગનું રાજ્ય; અહીં, અલબત્ત, સ્વ: એટલે પરમતત્ત્વ, પરબ્રહ્મ; અને તેથી સ્વારાગ્ય એટલે આત્મજ્ઞાનરૂપી રાજ્ય (Self-sovereignty, Self-Mastery); બ્રહ્માનંદરૂપી ચક્રવર્તિત્વ; અન સામ્રાજ્ય એટલે તો પોતાનાં સર્વસ્વ ૫૨, ભીતરમાંની આંતરિક સાત્ત્વિકતા પરનું સ્વ-શાસન - (Over-lordship).
૧૦૩૨ / વિવેકચૂડામણિ