SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ આવા ગુરુને શરણે જઈને (અનુપ્રાપ્ય) સાધકે આત્મન: જ્ઞાતવ્ય પૃષ્ઠેત્ । પોતાને, તેમની પાસેથી જાણવું હોય (જ્ઞાતવ્યું) તેના વિશે, તેના સંબધમાં, તેને લગતો પ્રશ્ન કરવો, પૂછવું (પૃદ્વૈત). પરંતુ તે પહેલાં એક મહત્ત્વનું કામ સાધકે-શિષ્યે કરવાનું રહે છે, અને તે છે ગુરુને ‘પ્રસન્ન’ કરવાનું. પરંતુ તેમને પ્રસન્ન કરવા શી રીતે ? તેમની આરાધનાઉપાસના (આરાધ્ય) કરીને. અને આ કામ બે રીતે થાય : એક, એમની ભક્તિ વડે (મા) અને બીજું, એમની વિનયપૂર્વક (પ્રહ્લ), નમ્રતાપૂર્વક (પ્રત્રય) સેવા કરવાથી (સેવનં). (૩૪-૩૫-૩૬) અનુવાદ :– જે (ગુરુ) શ્રોત્રિય, નિષ્પાપ, કામનાઓ-રહિત, શ્રેષ્ઠ બ્રહ્મવિદ્, બ્રહ્મ-પરાયણ, બળતણ-વિનાના અગ્નિ જેવા શાંત, નિષ્કારણ દયા-સાગર, અને વિનમ્ર સજ્જનો પ્રત્યે આત્મીયતાપૂર્ણ હોય, તેવા ગુરુને વિનય અને વિનમ્રતાપૂર્વક સેવા વડે પ્રસન્ન કરીને અને (આ રીતે તેમને) પ્રસન્ન થયેલા(ગુરુ)ને, પોતાને જે જાણવું હોય તે વિશે (સાધકે, શિષ્ય) પ્રશ્ન પૂછવો. (૩૪-૩૫-૩૬) ટિપ્પણ :— આમ તો, આ શ્લોકમાંની બધી બાબતો વિશે, લગભગ બધી જ સમજૂતી ‘શબ્દાર્થ’-માં સવિસ્તર અપાઈ ગઈ છે, એટલે હવે અહીં કશો સવિશેષ વિસ્તાર કરવાનો રહેતો નથી. છતાં બે-એક બાબતો અંગે underline કરીને એ કહેવાનું કે ગુરુ-શિષ્ય-સંબંધમાં જેમ, શિષ્યની પાત્રતા-યોગ્યતા-લાયકાત એ પૂર્વશરત છે, એવી જ, એટલી જ મહત્ત્વની પૂર્વશરત છે, - ગુરુની પાત્રતાની. આ પૂર્વશરતનું પૂરું ચિત્ર ગુરુ વિશેનાં આઠ વિશેષણોમાંથી મળી રહે છે. ટૂંકમાં, એક માનવ વ્યક્તિ તરીકે, ગુરુ, શિષ્યની શ્રદ્ધા-આશા-અપેક્ષા સંપૂર્ણરીતે ફળીભૂત થાય એવા આદર્શ (Ideal, Perfect) હોવા જોઈએ. અને આવા ગુરુ પાસેથી જો શિષ્ય પૂરેપૂરું પાંમવું હોય તો, તેનામાં પણ વિનય-વિનમ્રતા-સેવા-ભક્તિ વગેરે જરૂરી સદ્ગુણોની સામગ્રી હોવી જોઈએ : શિષ્ય પૂરેપૂરો ‘શરણાર્થી' હોય તો જ ગુરુ સાચા ‘શરણ્ય' બની રહે. પાયાની આ જ હકીકતને આપણાં શાસ્ત્રોએ આ પ્રમાણે પ્રબોધી છે :तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया । उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः ॥ ( गीता. ४, ३४ ) (‘તે ગુરુને દંડવત્ પ્રણામ કરીને, વિવિધ પ્રશ્નો પૂછીને અને તેમની સેવા કરીને, તેમની પાસેથી તે જ્ઞાન તું મેળવજે. તત્ત્વને જાણનારા તે જ્ઞાનીઓ તને તે જ્ઞાનનો ઉપદેશ આપશે.') અને – - तद्विज्ञानार्थं स गुरुमेवाभिगच्छेत् । સમિાળિ: શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠમ્ । (મુંડકોપનિષદ ૧, ૨, ૧૨) (‘તે બ્રહ્મજ્ઞાન મેળવવા માટે શિષ્ય, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા ગુરુ પાસે જ, હાથમાં, નમ્રતા-જિજ્ઞાસા-પાત્રતા-સૂચક સમિધ, એટલે કે યજ્ઞ માટેનું પવિત્ર વિવેકચૂડામણિ / ૯૭ ફર્મા - ૭
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy