________________
એટલે કે ભિન્ન પુરુષને; ય-િિવત્ - જરા પણ; લેશમાત્ર પણ. (યથા) ગૃધર્મા: પ્રવીપવત્। (જેમ) ઘરના ધર્મો (સુંદરતા, મલિનતા વગેરે) દીવાને (સ્પર્શ કરતા નથી); અદ્દો - એ એક આશ્ચર્યની હકીકત છે. આશ્ચર્યની શી હકીકત છે ? (તથા) પેહેન્દ્રિય-મનોધમાં અવિાર વાસીનું આત્માનું ન વ સ્મૃત્તિ । તે જ રીતે, શરીર-ઇન્દ્રિયો-મનના ધર્મો, અવિકારી અને ઉદાસીન એવા આત્માને સ્પર્શ કરતા જ નથી. (૫૦૫-૫૦૬)
.
અનુવાદ :
ગરમ કે ઠંડી, સારી કે નરસી કોઈ પણ વસ્તુનો સ્પર્શ મનુષ્યની છાયાને થતાં, તે છાયાથી વિલક્ષણ એવા તે મનુષ્યને જેમ લેશમાત્ર પણ સ્પર્શ થતો જ નથી, તેમ સાક્ષ્યના ધર્મો વિલક્ષણ એવા સાક્ષીને સ્પર્શ કરતા નથી : (જેમ) ઘરના ધર્મો દીવાને(સ્પર્શ કરતા નથી તેમ). આશ્ચર્યની વાત છે કે શરીર, ઇન્દ્રિય અને મનના ધર્મો, અવિકારી અને ઉદાસીન એવા આત્માને સ્પર્શ કરતા જ નથી. (૫૦૫-૫૦૬) ટિપ્પણ :
શ્લોક-૫૦૩માં શિષ્યે એમ જણાવ્યું કે “હવે, મારે કશી પ્રવૃત્તિ’ કે ‘નિવૃત્તિ’ નથી”, અને, ત્યારપછી, શ્લોક-૫૦૪માં તો, તેણે એવી જ ઘોષણા કરી કે “હવે મારે કશાં પુણ્યો’ નથી કે પાપ' નથી !”
બ્રહ્મરૂપ બની રહેલા શિષ્યના આ ‘અધિકાર’(Claim)ને ન્યાય્ય ઠરાવવા માટે (To justify), અહીં, આ બે શ્લોકોમાં, આચાર્યશ્રી, આ પ્રમાણે, બે ઉપમાઓ, પ્રયોજે છે : (૧) મનુષ્ય અને એનો પડછાયો; બીજા શબ્દોમાં, બિંબ અને પ્રતિબિંબ. માણસ બિંબ છે, પડછાયો પ્રતિબિંબ છે. આ બંને, - માણસ અને એનો પડછાયોબિંબ અને પ્રતિબિંબ, - પરસ્પર-ભિન્ન છે (વિલક્ષળ:) : પડછાયો ગમે તેવી પરિસ્થિતિઓમાંથી પસાર થાય, તેની કશી જ અસર, જેનો તે પડછાયો છે તે માણસ પર, ન પડે : પડછાયો ગરમ વસ્તુ કે શીતળ વસ્તુના સંપર્કમાં આવે તે છતાં, પેલા માણસને તો, પડછાયાની ગરમી કે શીતળતાનો જરા પણ સ્પર્શ થતો જ નથી ! એ તો, એવો ને એવો, હતો તેવો જ, રહે છે ! એ જ રીતે, તેનો પડછાયો ગંદકીમાં પડે કે ફુલવાડીમાં પડે તે છતાં પેલો માણસ નથી બનતો ગંદો કે નથી બની જતો સુગંધી ! પડછાયાનો લેશમાત્ર પ્રભાવ પેલા માણસ પર પડતો નથી ! ટૂંકમાં, પડછાયાના કોઈ જ ગુણધર્મો કે સંપર્કો, તે પડછાયાના મૂળ માલિક પર કશાં જ પરિવર્તનો લાવી શકતા નથી : પ્રતિબિંબ ભલે મૂળ બિંબનું જ હોય, - છે; પરંતુ પ્રતિબિંબનો કશો જ પ્રભાવ બિંબ પર પડતો નથી ! (૨) મકાનમાં પ્રકાશ માટે
૧૦૦૬ / વિવેકચૂડામણિ