SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. તેમ મન પણ ઉત્પત્તિનાશવાળ છે એમ સતશાસ્ત્રાથી ને વિદ્વાનોના ' અનુભવથી સિદ્ધ છે. વળી જાગ્રત ને સ્વપ્નમાં વાણી ને મનની. ઉત્પત્તિ ને સુષુપ્તિમાં તેને લય સોને અનુભવસિદ્ધ હોવાથી પણ તે બંને ઉત્પત્તિનાશવાળાં સિદ્ધ થાય છે. આકાશાદિ પાંચ ભૂતોના મળેલા સત્વગુણના અંશમાંથી મનની ઉત્પત્તિ થાય છે, ને પ્રત્યકાલે વા મેક્ષિકાલે તેનો તેમાં લય થાય છે. વાણી તથા મનની સ્થિતિ હોય ત્યારે અથોત તેના પ્રવૃત્તિકાલમાં જે પરમતત્વ સાક્ષીપગુવડે નિત્ય રહેલું છે તે પરમતવંજ તું છે, દે, વાણી કે મન તું નથી, માટે તેમાં તને હુંણાની-આત્માની-બુદ્ધિ રહેતી હોય તે તે બ્રાંતિને તું ત્યાગ કર. ૨૩. હવે સ્થલશરીરાદિને વિરાડાદિથી અભેદ છે એમ ઉપદેશ કરે છે - स्थूलवैराजयोरैक्यं सूक्ष्महैरण्यगर्भयोः। જ્ઞાનના પ્રધાનg: II ર૪ | સ્કૂલશરીરનું ને વિરાગ્ના શરીરનું એકપણું છે, સૂકમશરીરનું ને હિરણ્યગર્ભના શરીરનું એકપણું છે, અજ્ઞાનનું ને માયાનું એકપણું છે, અને પ્રત્યગાત્માનું ને બ્રહ્મનું એકપણું છે. પ્રાણીઓનાં સ્થલશરીરનો ને વિરાભગવાનના શરીરનો અભેદ છે, કેમકે તે બંને પંચકૃત પાંચ ભૂતાનાં બનેલાં છે; પ્રાણીઓનાં સૂક્ષ્મ શરીરને ને હિરણ્યગર્ભભગવાનના શરીરને અભેદ છે, કેમકે તે બંને અપંગીકૃત પાંચ ભૂતાનાં બનેલાં છે; અજ્ઞાન ને માયાનો અભેદ છે કેમકે અને જ્ઞાન જીવોનાં સૂક્ષ્મસ્થલ શરીરનું કારણ છે, ને માયા શ્રી ઈશ્વરના સૂકમ તથા લશરીરનું કારણ છે; અને અંતરાત્મા ને બ્રહ્મનો અભેદ છે, કેમકે તે બંને કારણ, સૂક્ષ્મ ને સ્થલ એ ત્રણે પ્રકારના ઉપાધિથી રહિત શુદ્ધ છે. શરીરના અમેદના કથનવડે તેમના અભિમાની બનો પણ અભેદ જાણો. વ્યષ્ટિ (એક) પૂલશરીરના ને જાગ્રદેવસ્થાના અભિમાની વિશ્વ
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy