SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ : - શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. આમ આદરપૂર્વક નિત્યપ્રતિ ભાવના કર્યા કરવી. બ્રહ્મનો સાક્ષાત્કાર થતાસુધી આ બ્રહ્મભાવના વા બ્રહ્મધ્યાન ચાલુ રાખવું. દેહાદિની સાથે સંબંધ રાખનારા કેઈ પણ અનાત્મ પદાર્થનું અભિમાન રાખવું નહિ. દેહાભિમાનને સ્થાને બ્રહ્માભિમાન લાવવાનું હોવાથી દેહાભિમાનનું પોષણ કરનારા અન્યગર્વનો પરિત્યાગ કરવાનું સૂચવ્યું છે. ડાળ કાપ્યા પછી થડ પણ કાપી નાંખવું જોઈએ, માટે બીજા ગર્વને પરિત્યાગ કર્યા પછી દેહમાં રહેલી હુંપણુની બુદ્ધિનો ત્યાગ કરવાની પણ આવશ્યકતા દેખાડી છે. સ્થૂલશરીર પંચીકૃત પાંચ ભૂતોનું બનેલું છે, ને સૂક્ષ્મ શરીર અપંચીકત પાંચ ભૂતનું બનેલું છે. આત્માને વળગેલાં આ પાંચ ભૂતોને વળગાડ શ્રીસરુરૂપ ભુવાદ્વારા દૂર કરવા જોઈએ. પતાનો પક્ષ સ્થાપન કરવાના દુરાગ્રહવાળે જલ્પ અને અન્યના મતમાં દૂષણ બતાવવાના આગ્રહવાળો વિતંડા એ નામના વાદવડે ચિત્તની શાંતિને ભંગ થાય છે, માટે તે વાદ કોઈની સાથે મુમુક્ષુએ નજ કરવો જોઈએ; તેમાં પણ જ્ઞાનિજનોની સાથે તે તેવા વાદમાં તેણે નજ ઊતરવું જોઈએ. જ્ઞાતિજનોના કથનનું તેણે આદરપૂર્વક શ્રવણ કરવું, ને જ્યાં શંકા થાય ત્યાં તેનું વિનયપૂર્વક સમાધાન પૂછવું એ તેનું કર્તવ્ય છે. ૩. - હવે પૂર્વોક્ત નિદિધ્યાસનને પરિપાક કરનારી સામગ્રીને મુમુક્ષુઓઉપર કૃપા કરીને આચાર્યભગવાન વર્ણવે છે – મુદ્રાધિ% વિસ્થિત પ્રતિક્રિને મિક્ષૌષધું મુથતાં, स्वाद्वन्नं न तु याच्यतां विधिवशात् प्राप्तेन सन्तुष्यताम् । शीतोष्णादि विषह्यतां न तु वृथा वाक्यं समुश्चार्यतामौदासीन्यमभीप्स्यतां जनकृपानैष्टुर्यमुत्सृज्यताम् ॥ ४ ॥
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy