________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. સ્વસ્થતા માટે વારંવાર અનુસંધાન કરવું. હું લશરીર, સૂક્ષ્મ શરીર કે. કારણુશરીર નથી, તેમજ ચિદાભાસ એટલે જીવ પણ હું નથી, પણ હું તે એ સર્વેથી વિપરીતસ્વભાવવાળા સચ્ચિદાનંદસ્વરૂપ પત્યગભિન્ન બ્રહ્મજ છું, આવી ભાવના આદરપૂર્વક વારંવાર નિરંતર કર્યા કરવી. આવી ભાવનાને નિદિધ્યાસન કહે છે તેવટે દેહાદિ જડમાં રહેલી હુંપણાનીઆત્માની–ભ્રાંતિ ને પ્રતીત થતા આ અસત જગતમાં રહેલી સત્યપણુની બ્રાંતિ દૂર થાય છે. ધન, સત્તા, રૂપ, વર્ણ, આશ્રમ, ગુણ ને વિદ્યાદિ જડ પદાર્થોની સાથે સંબંધ રાખનારા ને મુમુક્ષને આત્મજ્ઞાનની ઉત્પત્તિમાં પ્રતિબંધ કરનારા સર્વ પ્રકારના ગર્વને શુદ્ધભાવથી પરિત્યાગ 'કરો. સ્કૂલ, સૂક્ષ્મ ને કારણુએ ત્રણે શરીરમાંથી હુંપણુની બુદ્ધિને એટલે આત્મપણાના નિશ્ચયેનો તિરસ્કારપૂર્વક ત્યાગ કરવા. જ્ઞાનિપુરુષોની સાથે દેહાદિનું અભિમાન વધારી અધોગતિએ પહોંચાડનારા જલ્પ ને વિતંડાનામના વાદ નજ કરવા માત્ર અગત્ય જણાય તો તેમની સાથે પિતાના બેધની દઢતામાટે તત્ત્વને નિર્ણય કરનારી વાતચીતરૂપ વાદ કરે.
મનનવડે પ્રતીત થનારા પાંચ ભેદો, ત્રણ પ્રકારના ભેદે, ને ત્રણ પ્રકારના પરિચ્છેદો વ્યાવહારિક છે, તેમને બ્રહ્મથી અભિન્ન આત્મામાં સદ્ભાવ નથી એમ સ્પષ્ટ સમજાય છે. ઈશ્વરજીવનો ભેદ, ઈશ્વરજડનો ભેદ, જીવજીવન ભેદ, જીવજડનો ભેદ, ને જડજડનો ભેદ આ પાંચ પ્રકારના વનમાં પ્રતીત થતા ભેદ જેમ મિથ્યા છે તેમ જાગ્રતમાં પ્રતીત થતા આ પાંચ પ્રકારના ભેદ પણ મિથ્યા છે. આ ભેદે તેમની ઉપાધિએ કરેલા હોવાથી સત્ય નથી, અર્થાત્ સર્વ પ્રકારની ઉપાધિથી રહિત આત્મામાં તે ભેદોનો ગંધ પણ નથી. સ્વગત, સજાતીય ને વિજાતીય આ ત્રણ પ્રકારના ભેદો પણ શુદ્ધાત્મામાં નથી. અવયથી અવચવીને ભેદ સ્વગતભેદ કહેવાય છે, એકજ જાતિવાળાનો પરસ્પર ભેદ