________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. ઉપર કહેલા અર્થને દષ્ટાંત આપીને સમજાવે છે – प्राक् पश्चादस्ति कुंभाद्गनमिदमिति प्रत्यये सत्यपीदं, कुम्भोत्पत्तावुदेति प्रलयमुपगते नश्यतीत्यन्यदेशम् । नीते कुंभेन साकं व्रजति भजति वा तत्प्रमाणानुकारं, इत्थं मिथ्या प्रतीतिः स्फुरति तनुभृतां विश्वतस्तद्वदात्मा॥६१॥
આ આકાશ ઘડાથી (ઘડાની ઉત્પત્તિની) પહેલાં ને પછી (નાશની પછી) છે, આવું જ્ઞાન છતાં પણ આ (ઘટાકાશ) ઘડાની ઉત્પત્તિ થાય ત્યારે ઉત્પન્ન થાય છે, [ ને ઘડાનો] નાશ થાય ત્યારે નાશ પામે છે, અને [ ઘડાને 3 અન્ય દેશમાં લઈ જાય [ ત્યારે તે] ઘડાની સાથે જાય છે, અથવા તેના (ઘડાના) પ્રમાણના જેવા પ્રમાણને [તે ] ગ્રહણ કરે છે, આવી રીતે મનુષ્યને મિથ્યાજ્ઞાન કુરે છે, તેમ જગતની [ પૂર્વે તથા પછી] આત્મા [ છે, છતાં આત્મામાં ઉત્પત્તિ, નાશ, કિયા ને આકારનું જે જ્ઞાન થાય છે તે મિથ્યા છે.] ૬૧.
હવે બીજી રીતે બ્રહ્મના સર્વાત્મભાવને વર્ણવે છે -- यावान्पिण्डो गुडस्य स्फुरति मधुरिमैवास्ति सर्वोऽपि तावान्, यावान्क परपिण्ड: परिणमति सदामोद एवात्र तावान् । विश्वं यावद्विभाति द्रमनगनगरारामचैत्याभिरामं, तावञ्चैतन्यमेकं प्रविकसति यतस्तत्तदात्मावशेषम् ॥ ६२॥
[જેમ] જેટલે ગેળને પિડા જણાય છે તેટલું બધું પણ મધુરતારૂપજ છે, [તથા] જેટલે કપૂરને ગાંગડો [ જણાય છે તેટલે આમાં સર્વદા સુગંધ જ પરિણામ પામે છે, [તેમ]