________________
શ્રીશતકી .
'
૬૪૧
સુધીનું) જગત્ વ્યવહાર કરે છેપપ.
હવે સત્યરૂપ બ્રહ્મના સ્વરૂપનું વર્ણન કરે છે-- तत्सत्यं यत्रिकालेष्वनुपहतमदः प्राणदिव्योममुख्यम्, यस्मिन्विश्रान्तमास्ते तदिह निगदितं ब्रह्म सत्यस्य सत्यम् । नास्त्यन्यत्किच यद्वत्परमधिकमतो नाम सत्यस्य सत्यम्, सच त्यञ्चेति मूर्ताद्युपहितमवरं सत्यमस्यापि सत्यम् ॥५६॥
પ્રાણ, દિશા ને આકાશાદિ આ [ આકારરહિત પદાર્થો] જ ત્રણે કાલમાં [લોકિક રીતે] નાશ નહિ પામનારા [ જણાય છે.] તે સત્ય [ છે. તે સર્વ ] જેમાં આશ્રય કરીને રહેલા છે તે બ્રહ્મને અહિં (કૃતિમાં) સત્યનું સત્ય કહેલું [ છે.] વળી આના જેવું [ અથવા] આથી શ્રેષ્ઠ[] મહાન સત્યનું સત્ય એવા નામવાળું બીજું નથી. સત્ (પૃથિવી, જલ ને તેરૂપ આકારવાળા પદાર્થ) ને ત્યતુ (વાયુ ને આકાશરૂપ આકારરહિત પદાર્થ) આ કારાદિ ઉપાધિવાળું સગુણ બ્રહ્મ સત્ય છે, ને નિર્ગુણ બ્રહ્મ તે] આનું (આ સત્યનું) પણ સત્ય [ છે.] પ૬.
બ્રહ્મના સત્યના સત્ય એ સ્વરૂપને દષ્ટાંત આપીને સમજાવે છે – यत्किचिद्भात्यसत्यं व्यवहृतिविषये रौप्यसाबुमुख्यं, तद्वै सत्याश्रयेणेत्ययमिह नियमः सावधिोकसिद्धः। तद्वत्सत्यस्य सत्ये जगदखिलमिदं ब्रह्मणि प्राविरासीन्मिथ्याभूतं प्रतीतं भवति खलु यतस्तश्च सत्यं वदन्ति ॥५७॥
[જેમ] વ્યવહારના વિષયવિષે [છીપમાં ] રૂપું, [દેર૪૧