SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ wwwwwwww wwww -- શ્રીઅપરોક્ષાનુભૂતિ. ૩૮ येषां वृत्तिः समावृद्धा परिपक्का च सा पुनः । । । ते वै सदृह्मतां प्राप्ता नेतरे शब्दवादिनः ॥ १३२ ॥ જેઓની [બ્રહ્માકાર ]વૃત્તિ સારી રીતે વૃદ્ધિ પામેલી [છે, ને પુનઃ તે પરિપકવ થયેલી [છે, તેઓ જ સત્યરૂપ બ્રહ્મપણને પામેલા છે,] બીજા શબ્દવાદીઓ [ બ્રહ્મપણને પ્રાપ્ત થયેલા ] નથી. શબ્દવાદીઓ–માત્ર બ્રહ્મની વાતો જ કરનારા, પણ બ્રહ્માકારવૃત્તિ નહિ કરનારા. ૧૩૨. તે શબ્દવાદીઓની નિંદા કરે છે – कुशला ब्रह्मवार्तायां वृत्तिहीनाः सुरागिणः । तेऽप्यज्ञानितया नूनं पुनरायांति यांति च ॥ १३३ ॥ | [ જેઓ] બ્રહ્મની વાતમાં કુશલ, [ બ્રહ્માકાર]વૃત્તિથી રહિત, નેિ અત્યંતરાગી [છે,] તેઓ અજ્ઞાનીપાવડે નક્કી વારંવાર જન્મે છે, ને મરે છે. ૧૩૩. બ્રહ્મનિષ્ઠોએ બ્રહ્માકારવૃત્તિવડેજ સર્વદા સ્થિતિ કરવી જોઈએ એમ સૂચવવાને બ્રહ્માદિનું ઉદાહરણ કહે છે – निमेषार्ध न तिष्ठति वृत्तिं ब्रह्ममयीं विना । यथा तिष्ठति ब्रह्माद्याः सनकाद्याः शुकादयः ॥ १३४ ॥ જેમ બ્રહ્માદિ, સનકાદિ ને શુકાદિ બ્રહ્માકારવૃત્તિ વિના અર્થે નિમેષ [પણ રહેતા નથી, તેમ બ્રહ્મનિષ્ઠ અધી નિમેષ પણ બ્રહ્માકારવૃત્તિવિના ] રહેતા નથી.] ૧૩૪. પિતાને અભિમત રાજયોગ કહીને હવે વેદાંતવિચારનું નિરૂપણ નીચેના કવડે કરે છે –
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy