________________
wwwwwwww
wwww
--
શ્રીઅપરોક્ષાનુભૂતિ.
૩૮ येषां वृत्तिः समावृद्धा परिपक्का च सा पुनः । । । ते वै सदृह्मतां प्राप्ता नेतरे शब्दवादिनः ॥ १३२ ॥
જેઓની [બ્રહ્માકાર ]વૃત્તિ સારી રીતે વૃદ્ધિ પામેલી [છે, ને પુનઃ તે પરિપકવ થયેલી [છે, તેઓ જ સત્યરૂપ બ્રહ્મપણને પામેલા છે,] બીજા શબ્દવાદીઓ [ બ્રહ્મપણને પ્રાપ્ત થયેલા ] નથી.
શબ્દવાદીઓ–માત્ર બ્રહ્મની વાતો જ કરનારા, પણ બ્રહ્માકારવૃત્તિ નહિ કરનારા. ૧૩૨.
તે શબ્દવાદીઓની નિંદા કરે છે – कुशला ब्रह्मवार्तायां वृत्तिहीनाः सुरागिणः । तेऽप्यज्ञानितया नूनं पुनरायांति यांति च ॥ १३३ ॥
| [ જેઓ] બ્રહ્મની વાતમાં કુશલ, [ બ્રહ્માકાર]વૃત્તિથી રહિત, નેિ અત્યંતરાગી [છે,] તેઓ અજ્ઞાનીપાવડે નક્કી વારંવાર જન્મે છે, ને મરે છે. ૧૩૩.
બ્રહ્મનિષ્ઠોએ બ્રહ્માકારવૃત્તિવડેજ સર્વદા સ્થિતિ કરવી જોઈએ એમ સૂચવવાને બ્રહ્માદિનું ઉદાહરણ કહે છે – निमेषार्ध न तिष्ठति वृत्तिं ब्रह्ममयीं विना । यथा तिष्ठति ब्रह्माद्याः सनकाद्याः शुकादयः ॥ १३४ ॥
જેમ બ્રહ્માદિ, સનકાદિ ને શુકાદિ બ્રહ્માકારવૃત્તિ વિના અર્થે નિમેષ [પણ રહેતા નથી, તેમ બ્રહ્મનિષ્ઠ અધી નિમેષ પણ બ્રહ્માકારવૃત્તિવિના ] રહેતા નથી.] ૧૩૪.
પિતાને અભિમત રાજયોગ કહીને હવે વેદાંતવિચારનું નિરૂપણ નીચેના કવડે કરે છે –