________________
વેદોની કિંવા સાલો કય, સામીય, સાપ્ય ને સાયુજ્ય આ ચાર કમમાક્ષાની, વા બ્રહ્માનાં ચાર મુખોની ઉપમા આપવા લાગ્યા..
એક દિવસે આચાર્યભગવાનની સમીપ આવી, તેઓશ્રીને પ્રણામ કરીને, શારીરકભાષ્ય ઉપર વાર્તિક કરવાની ઇચ્છાવાળા સુરેશ્વરે તે વિષેની તેઓશ્રીને આ પ્રમાણે પ્રાર્થના કરી:-“હે પ્રભો ! મારાથી થઈ શકે એવી કોઈ સેવા આપ મને કૃપા કરીને બતાવે.” ત્યારે આચાર્યભગવાને તેમનાં અંતઃકરણને અભિપ્રાય જાણી તેમને કહ્યું કે –“હે વત્સ! શારીરકભાષ્યઉપર તમે વાર્તિકનામને ઉત્તમ નિબંધ રચવા પ્રયત્ન કરે.” આ આજ્ઞાપ્રમાણે વર્તવાને સુરેશ્વરે બહુ પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કર્યો, પણ આચાર્યભગવાનના કેટલાક શિષ્યોને આ વાત ગમી નહિ. તેમણે આચાર્યભગવાનને વિનતિ કરી કે:-“આ સુરેશ્વર પૂર્વમીમાંસામાં દઢ આગ્રહ રાખનારા હતા, ને હજી પણ તેમના મનમાં કદાચ કર્મનો પક્ષપાત હોય, અને એ પક્ષપાતને લઈને તે વાર્તિકમાં જ્ઞાનની શ્રેષ્ઠતાને સ્થાને કર્મની શ્રેષ્ઠતા પ્રતિપાદન કરે તે આપણા સિદ્ધાંતને હાનિ પહોંચે, માટે તેમની પાસે વાર્તિક-નહિ કરાવતાં પદ્મપાદ, આનંદગિરિ કે બીજા કોઈ યોગ્ય શિષ્યને વર્તિક કરવાની આજ્ઞા કરવાની આપ કૃપા કરશો તે તે કામ મનમાન્યું થશે.” આચાર્યભગવાનને તેમનું આ કહેવું નહિ, તેથી તેમને આવી નિરર્થક શંકા રાખી આવા કામમાં વિદ્ધ ન કરવા સમજાવ્યા, અને અંતે જણાવ્યું કે:-“ તેમના વિના કેઈથી શારીરકભાષ્યપર યોગ્ય, વાર્તિક થઈ શકે એમ નથી, માટે તમે નકામે વિરોધ છેડી ઘો.” છતાં કેટલાક શિષ્ય પોતાના કુસંસ્કારના વેગમાં તણાઈ સમજ્યા નહિ, ને કહેવા લાગ્યા કે –“પ્રભો ! આ હસ્તામલક સર્વજ્ઞ હોવાથી વાર્તિક કરવા સમર્થ છે, માટે તેમને જે આપ આ કામ સંપશે તે તે બહુ ધ્યાન રાખીને તે કામ કરશે.” તેના ઉત્તરમાં