________________
૩૬૨
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. यथैव शून्ये वैतालो गंधर्वाणां पुरं यथा । यथाऽऽकाशे द्विचंद्रत्वं तद्वत्सत्ये जगत्स्थिति: ॥ ६२ ॥
વળી જેમ મનુષ્યરહિત સ્થાનમાં વૈતાલ, (અકસમાત્ પ્રતીત થનારું એક જાતનું ભૂત,) જેમ [ આકાશમાં] ગંધવિનું નગર, (સમુદ્રતટની સમીપના આકાશમાં નગરના
જેવી દેખાતી વાદળાંઓની રચના, અથવા અંદ્રજાલિકે પોતાની માયાના બલથી આકાશમાં પ્રતીત કરાવેલું નગર,) [ને ] આકાશમાં બે ચંદ્રપણું [ મિથ્યા છે,] તેમ બ્રહ્મમાં જગતની સ્થિતિ [ મિથ્યા છે. ] ૬૨. यथा तरंगकल्लोलैर्जलमेव स्फुरत्यलं । पात्ररूपेण तानं हि ब्रह्मांडौघैस्तथाऽऽत्मता ॥ ६३ ॥
જેમ જલજ તરંગો ને લહેરૂપે સ્પષ્ટ ભાસે છે, તથા તાંબું વાસણરૂપે [ ભાસે છે, ] તેમ આત્મપણું બ્રહ્માંડના સમૂહરૂપે [ ભાસે છે. ] ૬૩. घटनाम्ना यथा पृथ्वी पटनाम्ना हि तंतवः । जगन्नाम्ना चिदाभाति ज्ञेयं तत्तदभावत: ॥ ६४॥
જેમ પૃથ્વી ઘટનામવડે અને તંતુઓ પટનામવડે [ ભાસે છે, તેમ ] ચૈતન્ય જગન્નામવડે ભાસે છે. તેના (નામના) અભાવથી તે (બ્રહ્મ) જાણવાયેગ્ય છે. ૬૪.
મનુષ્યો અજ્ઞાનથી સર્વ વ્યવહારના હેતુભૂત બ્રહ્મને જાણતા નથી એમ કહે છે – सर्वोऽपि व्यवहारस्तु ब्रह्मणा क्रियते जनैः । अज्ञानान्न विजानंति मृदेव हि घटादिकं ॥ ६५ ॥