________________
શ્રીઅપરોક્ષાનુભૂતિ.
૩૫૫ ઉપરના દાંતને સ્પષ્ટ કરતા છતા સર્વ જગતનું બ્રહ્મરૂપપણું
vvvvvvvvvvvvvvvv
रज्ज्वज्ञानात् क्षणेनैव यद्वद्रजर्हि सर्पिणी ।। भाति तद्वञ्चिति: साक्षाद्विश्वाकारेण केवला ॥ ४४॥
જેમ દેરીના અજ્ઞાનથી ક્ષણમાં જ દેરી સાપણુરૂપે પ્રતીત થાય છે, તેમ [ બ્રહ્મના અજ્ઞાનથી ક્ષણમાં જ] કેવલ બ્રહ્મ સાક્ષાત્ જગદાકારે પ્રતીત થાય છે.
કેવલ આ વિશેષણવડે પૂર્વાવસ્થાનો પરિત્યાગ નહિ કરીને અન્ય અવસ્થાની પ્રાપ્તિરૂપ વિવર્તપાદાનકારણુપણું બ્રહ્મનું કહ્યું છે. ૪૪.
આ જગતનું વિવર્તઉપાદાનકારણ બ્રહ્મથી ભિન્ન નથી એમ કહે છે –
उपादानं प्रपंचस्य ब्रह्मणोऽन्यन्न विद्यते । तस्मात्सर्वप्रपंचोऽयं ब्रह्मैवास्ति न चेतरत् ॥ ४५ ॥
જગતનું [વિવર્તઉપાદાનકારણ બ્રહ્મથી ભિન્ન નથી, તેથી આ સર્વ જગત્ બ્રહ્મજ છે, પણ તેનાથી] ભિન્ન નથી.
આકાશાદિ પાંચ ભૂત ને સર્વ દૈતિક પદાર્થો તેના વિવતિપાદાનકારણ બ્રહ્મથી લેશ પણ ભિન્ન નથી, તેથી આ પ્રતીત થતું સર્વ જગત બ્રહ્મરૂપ જ છે, પણ બ્રહ્મથી ભિન્ન પ્રકૃતિરૂપ કે પરમાણુરૂપ
નથી. ૪૫.
જગત વ્યાપ્ય છે, ને બ્રહ્મ વ્યાપક છે, આવો તે બંનેને ભેદ વિદ્યમાન છતાં તમે આ જગતનું બ્રહ્મપણું કેમ કહો છે એમ કોઈ શંકા કરે તે તેના સમાધાનમાં કહે છે—
व्याप्यव्यापकता मिय्या सर्वमात्मेति शासनात् । इति ज्ञाते परे तत्वे भेदस्यावसरः कुतः ॥ ४६ ॥