________________
શ્રીઅપરોક્ષાનુભૂતિ.
૩૩૭
नोत्पद्यते विना ज्ञानं विचारेणान्यसाधनैः । यथा पदार्थभानं हि प्रकाशेन विना क्वचित् ॥ ११ ॥
જેમ પ્રકાશવિના પદાર્થનું ભાન કદીપણ થતું નથી, તેમણે વિચારવિના અન્ય સાધનો વડે જ્ઞાન ઉત્પન્ન થતું નથી.
જેમ સૂર્યાદિના પ્રકાશવિના ઘટાદિ પદાર્થોનું જ્ઞાન કોઈ પણ દેશમાં કોઈ પણ સમયે થતું નથી, તેમ આત્મસ્વરૂપના તથા જડસ્વરૂપના વિવેકરૂપ વિચારવિના કર્મ ને ઉપાસનારૂપ અન્ય સાધનો વડે મનુષ્યને આત્માથી અભિન્ન બ્રહ્મનું જ્ઞાન કદીપણ પ્રાપ્ત થતું નથી. ૧૧.
હવે નીચેના પાંચ લોકવડે વિચારનું સ્વરૂપ જણાવે છે – कोऽहं कथमिदं जातं को वै कर्ताऽस्य विद्यते । उपादानं किमस्तीह. विचारः सोऽयमीदृशः ॥ १२ ॥
હું કેણ? આ કેમ ઉપર્યું? આને કર્તા કેણ છે? અહિં ઉપાદાન શું છે? આ આવા પ્રકારને વિચાર તે[વિચાર.]
પિતાને પુણ્ય પાપને કર્તા ને સુખદુઃખને ભોક્તા માનનાર હું કરું છું ? અર્થાત મારું વાસ્તવિક સ્વરૂપ શું છે ? પ્રતીત થતું આ
સ્થાવરજંગમરૂપ જગત કેમ (ક્ય હેતુથી) ઉપર્યું ? અર્થાત આ જગતની ઉત્પત્તિનું કારણ શું છે ? પ્રત્યક્ષાદિ પ્રમાણે વડે જણાતા આ નામરૂપાત્મક જગતને કર્તા કોણ છે ? અર્થાત્ શું છવોનાં પુણ્ય પાપ જગત ઉપજાવે છે ? વા કર્મફલપ્રદાતા ઈશ્વર જગત ઉપજાવે છે? વા સ્વભાવાદિ આ જગત ઉપજાવે છે ? જેમ ઘટાદિ માટીનાં કાર્યોનું ઉપાદાનકારણ માટી છે, તેમ આ જગતનું ઉપાદાનકારણ શું છે? આત્માવિષે તથા જગતવિષે આ આવી રીતને વિચાર તેજ વિચાર કહેવાય છે, ને તે વિચાર બ્રહ્મજ્ઞાનનું સાધન છે. ૧૨.
ર