SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઅપક્ષાનુભૂતિ. ૩૩૧ હેય તેને નમન કરવું જોઈએ એવો શિષ્ટાચાર દેખાડવા આચાર્ય ભગવાને પિતાનામાં અશુદ્ધજીવાત્માને આરેપ કરી અશુદ્ધઈશ્વરને પ્રણામ કર્યાનું કહ્યું છે. " તુચ્છ વિષયાનંદથી ભિન્ન પરમાનંદસ્વરૂપવાળા, ગ્ય શિષ્યોને સમર્થ આચાર્યના હૃદયમાં રહીને ઉપદેશ કરનારા, સમગ્ર સ્થાવરજંગમ જગતના માયાશક્તિવડે નિયંતા, સર્વવ્યાપક, સર્વ લોકેના ઉપાદાનકારણરૂપ તથા નિમિત્તકારણરૂપ, અભક્તોને અપ્રત્યક્ષ અને પિતાના સાક્ષાત્કારવડે મુમુક્ષુઓની અવિદ્યા ને તેને કાર્યરૂપ શકોહાદિ દોષને પિતાનામાં વિલીન કરનારાનું હું અભેદભાવે ચિંતન કરું છું. ૧. હવે બુદ્ધિમાનની આ ગ્રંથમાં પ્રવૃત્તિ થવા માટે આ ગ્રંથના ચાર અનુબંધોને દેખાડતા છતા આ ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા કરે છે – अपरोक्षानुभूति प्रोच्यते मोक्षसिद्धये । રવિ પ્રયન વક્ષય કુહુર્મg: | ૨ | પ્રસિદ્ધ અપરોક્ષાનુભૂતિ મેક્ષસિદ્ધિ માટે કહેવાય છે. સજજને એજ પ્રયત્નવડે વારંવાર વિચારવાયેગ્ય [ છે.] અધિકારી, વિષય, સંબંધ ને પ્રયોજન આ ચાર અનુબંધ કહેવાય છે. અપરોક્ષાનુભૂતિ શબ્દના બે અર્થ થાય છે; અપક્ષ એટલે સર્વદા પ્રત્યક્ષ સ્વયંપ્રકાશ આત્મા, ને અનુભૂતિ (અનુભવ) એટલે તેના અખંડકરસસ્વરૂપનું વૃત્તિમાં સ્થિર થવું, આ અપરક્ષાનુભૂતિને પહેલો અર્થ છે; અને બ્રહ્મસાક્ષાત્કાર ( અપક્ષ-બ્રહ્મ ને અનુભૂતિ-સાક્ષાકાર) આ અપક્ષાનુભૂતિને બીજો અર્થ છે. બ્રહ્મસાક્ષાત્કારના સાધનરૂપ હોવાથી આ ગ્રંથ પણ અપરક્ષાનુભૂતિ કહેવાય છે.
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy