SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવાક્યવૃત્તિસ્તોત્ર. ૩૧૫ શ્રુતિએ જે બ્રહ્મના અનંતપણાની-દેશ, કાલ ને વસ્તુના પરિચ્છેદથી રહિતપણાની–પ્રતિજ્ઞા કરી છે તે પ્રતિજ્ઞાની સિદ્ધિ થવા માટે પ્રપંચને બ્રહ્મનું કાર્યપણું કહેનારી ઐતિએ પ્રપંચ બ્રહ્મનું કાર્ય છે એમ કહ્યું છે. જે વસ્તુ આ સર્વ જગતના કારણરૂપ છે તે વસ્તુ સગુણ બ્રહ્મ છે એમ તું નક્કી કર. આકાશાદિ પ્રપંચનું અનંતપણું જાણું મંદ જિજ્ઞાસુને તેના કારણરૂપ બ્રહ્મના અનંતપણાનું ભાન થવા મુતિએ આ પ્રપંચને બ્રહ્મના કાર્યરૂપે કહેલ છે. ૩૩. કલ્પિત પ્રપંચના અધિકાનરૂપ બ્રહ્મનો વિચાર કરવામાં અસમર્થ મુમુક્ષુઓને ઉદ્દેશીને આ પ્રપંચના ઉપાદાનકારણરૂપ બ્રહ્મનું વિચાર્યપણું શ્રુતિમાં કહ્યું છે એમ જણાવે છે – विजिज्ञास्यतया यच्च वेदांतेषु मुमुक्षुभिः । समर्थ्यतेऽतियत्नेन तद्ब्रह्मेत्यवधारय ॥ ३४ ॥ ઉપનિષદોમાં મુમુક્ષુઓવડે અતિયત્નથી વિચારવાગ્ય૫ણાવડે જે પ્રતિપાદન કરાય છે તે બ્રહ્મ એમ નકકી કર. ચા વા કુમાન મૂતાનિ કાન્ત” (જેમાંથી આ સર્વ ભૂતો ઉત્પન્ન થાય છે, ) ઈત્યાદિ શ્રુતિવચનમાં મોક્ષ મેળવવા ઇચ્છતા મનુષ્યોવડે મહાપ્રયત્નથી વિચાર કરવા યોગ્યપણુવડે જે જગતનું કારણ નિરૂપણ કરાય છે તે જગતનું કારણ બ્રહ્મ છે એમ તું નક્કી કર. ૩૪. જેમ જડ પ્રપંચ બ્રહ્મથી ભિન્ન નથી, તેમ ચેતનરૂપ જણાતા આ જીવો પણ બ્રહ્મથી ભિન્ન નથી એમ કહે છે – जीवात्मना. प्रवेशश्च नियंतृत्वं च तान् प्रति । ... श्रूयते यस्य. वेदेषु तद्ब्रह्मेत्यवधारय ॥ ३५ ॥
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy