________________
શ્રીમહમુસ્તિત્ર.
૨૭૯
येषां नैष करोति विवेकं, तेषां कः कुरुतामतिरेकम् ॥ ७ ॥
એ લોકોને અર્થ નીચે પ્રમાણે થાય છે –
જ્યાં સુધી મનુષ્ય દ્રવ્ય પ્રાપ્ત કરવામાં સામર્થ્યવાળે હેય છે ત્યાં સુધી જ તેના કુટુંબનાં માણસે તેનામાં પ્રીતિવાળાં રહે છે, પછી
જ્યારે વૃદ્ધાવસ્થા વડે તેનું શરીર ખળભળી જાય છે ત્યારે ઘરમાં તેને કઈ પણ કાંઇ વાત પૂછતું નથી. ૧.
શરીર ગળી ગયું, માથાના વાળ ધોળા થઈ ગયા, મુખ દાંતવિનાનું થઈ ગયું, કંપતી ને શોભિતી લાકડી હાથમાં લીધી, તોપણ આશારૂપ પિંડને મૂકતો નથી, અર્થાત આવી સ્થિતિમાં પણ વિષયતૃષ્ણાને તે ત્યાગ કરતો નથી. ૨.
મનુષ્ય બાલક હોય ત્યાં સુધી રમતમાં પ્રીતિવાળે રહે છે, જુવાન હોય ત્યાં સુધી જુવાન સ્ત્રામાં પ્રીતિવાળે રહે છે, વૃદ્ધ થાય ત્યારે ચિંતામાં ડુબેલો રહે છે, પરંતુ બહુધા કેઇ પણ મનુષ્ય પરબ્રહ્મમાં કઈ પણ સમયમાં પ્રીતિવાળા થતા નથી. ૩.
દિવસ ને રાત, સાયંકાલ ને પ્રાતઃકાલ, શિશિર ને વસંત, પુનઃ પુનઃ આવે છે; આવી રીતે કાલ રમત કરે છે, ને આયુષ ચાલ્યું જાય છે, તે પણ વિષયાશારૂપ વાતરોગ મનુષ્યને ત્યાગ કરતો નથી. ૪.
જ્યાં સુધી જન્મ થાય છે ત્યાંસુધી મરણ પણ થાય છે, ને તેમને જન્મ પહેલાં માતાના ઉદરમાં શયન પણ કરવું પડે છે. આવી રીતે સંસારમાં બહુ ઊઘાડે દેષ છે, છતાં તે મનુષ્ય ! તને આ સંસારમાં કેમ સંતોષ થાય છે? ૫.