________________
શ્રીમેહમુગરસ્તોત્ર.
૨૭૭
મનને નિયમમાં રાખવાથી [ ] પોતાના હૃદયમાં રહેલ બ્રહ્મને એવી રીતે જોઇશ.
તું તને બ્રહ્મને ઉપદેશ કરનારા તારા શ્રીસદ્ગના પરમ પવિત્ર ચરણકમલની છલકપટ વિના પરમપ્રેમથી અડગ ભક્તિ કરનારો છું, તેથી તારા સદગુરુશ્રીની અમોધ કૃપાવડે તું આ દુઃખમય સંસારથી સ્વલ્પકાલમાં મુક્ત થા. તારી વાગાદિ પાંચ કર્મેન્દ્રિય તથા શ્રોત્રાદિ પાંચ જ્ઞાનેન્દ્રિયેસહિત બહારના વિષય ભણું દોડતા તારા મનને આત્મામાં સ્થિર રાખવાથી તું તારા હૃદયાકાશમાં રહી સત્તા સ્કૂર્તિ આપનારા સ્વયંપ્રકાશ બ્રહ્મને શાસ્ત્ર કહે છે તેવી રીતે દઢ સાક્ષાત્કાર કરીશ. ૧૨. - વિવેકવિના જીવન દુઃખની નિવૃત્તિ થતી નથી એમ જણાવી આ સ્તોત્રની સમાપ્તિ કરે છે – द्वादशपंजरिकामय एष, शिष्याणां कथितो छुपदेशः । येषां चित्ते नैव विवेकस्ते पच्यते नरकमनकम् ॥ १३ ॥ . इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचितं मोहमुद्गरस्तोत्रं संपूर्णम् ॥ १२ ॥
શિષ્યને આ બાર પંજરિકામય ઉપદેશ કર્યો છે. જેઓના ચિત્તમાં વિવેકજ નથી તેઓ અનેક નરકમાં રંધાય છે.
ત્રિવિધતાપથી અત્યંત મેકળા થઈ સર્વદા પરમાનંદરૂપે રહેવાની ઉત્કટ ઈચ્છાવાળા, આ શરીરમાં રહેલા અંતઃકરણમાં શુદ્ધભાવથી અડગ સદ્ગુબુદ્ધિ સ્થાપનારા, ને પિતાને આ શરીરમાં રહેલા અંતકરણના શિષ્ય માનનારા મનુષ્યને ઉપરના બાર શ્લોકમાં સ્કૂલ